કોરોના સંક્રમણને લઇને અમદાવાદના પ્રાણીસંગ્રાહાલયને એલર્ટ આપવામા આવ્યુ છે..ઝુ તંત્ર દ્વારા તકેદારીના વિશેષ પગલા લેવામા આવી રહ્યા છે..પ્રાણી સંગ્રાહાલયમા દવાનો છંટકાવ કરવામા આવે છે તો ઝૂ કીપરે ફરજીયાત પીપીઇ પહેરવાનો નિયમ બનાવાયો છે.અમદાવાદના ઝૂમાં પ્રતિદિન પ્રાણીઓનું ચેકિંગ કરવામાં આવે છે. જો તેઓમાં કોઇ તકલીફ જણાય તો મેડીકલ તપાસ કરવામા આવે છે…પ્રાણીઓને ખોરાક આપનાર ઝુ કીપરને જો તાવ શરદી ઉધરસ જણાય તો તેને રજા આપી દેવામા આવે છે.
કવિ: Dharmistha Nayka
યુપી પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ ગોરખપુર જિલ્લામાં હંગામો મચી ગયો. હારી ગયેલા ઉમેદવારને વિજેતા પ્રમાણપત્ર આપવાનો આરોપ મૂકતા એક પક્ષે રોડને જામ કરી દીધો. વિરોધ દરમિયાન વિરોધીઓ દ્વારા નવી બજાર ચોકીને પણ આગચંપી કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલો ગોરખપુરના બ્રહ્માપુર બ્લોકનો છે, જ્યાં મતગણતરીમાં ધાંધલપણાનો આરોપ લગાવતા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.એવો આરોપ છે કે, હારેલા ઉમેદવારોને જીતનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આરોપ લગાવનારા બે ઉમેદવાર અને તેમના સમર્થક બ્રહ્મપુર બ્લોકના નવા બજારમાં ધરણાં પર બેસી ગયા અને સેંકડો સમર્થકો સાથે ચક્કાજામ કરી દીધો. ધરણાં અને ચક્કાજામ કરનારા ઉમેદવાર અને તેમના સમર્થકો ગુસ્સે ભડકી ગયા અને તેઓએ…
રાજ્યમાં CORONAની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજી પર મહત્વપૂર્ણ નિર્દેશ કર્યો છે, 43 પેજના હુકમમાં હાઈકોર્ટે સરકારની કોવિડ કામગીરીની ઝાંટકણી કાંઢી છે. હાઈકોર્ટે હવે પછીની સુનાવણીમાં સરકાર શું કરી રહી છે તેને લઈને સરકારને સોગંધનામુ કરવા નિર્દેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યા તે પૂરતા નથી…કોર્ટ રાજ્ય સરકાર કોરોનાની ચેઇન તોડવા કડક પગલાં લે -કોર્ટ રાજ્ય માં ટેસ્ટિંગ બાબતે લોકો ને સાચી વિગતો આપો…કોર્ટ ધન્વંતરી હોસ્પિટલમાં સફાઈના મુદ્દા પર હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ ન હોવી જોઈએ,,આ સિવાય હાઈકોર્ટે સવાલ કર્યો કે 21 નવા આરટીપીસીઆર મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે? આરટીપીસીઆર…
ઘણા રાજ્યોની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. કોરોના મહામારીના બીજી લહેરમાં અનેક લોકોએ અનેક સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે તેમ છતાં હજુ પણ કેટલાક લોકો યોગ્ય રીતે માસ્ક પહેરવા બાબતે બેદરકાર દેખાય છે. ત્યારે માસ્ક પહેરવુ કેટલુ ઉપયોગી અને જોખમને ઘટાડનારુ છે. તે અંગે જોઈએ આ અહેવાલ.કોરોના મહામારીથી બચાવ માટે મેડિકલ માસ્ક એક મોટુ શસ્ત્ર સાબિત થઈ રહ્યુ છે.અમેરિકાની રાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્ય એજન્સીના રોગ નિયંત્રણ અને અટકાવવા માટેના કેન્દ્રના સંશોધકોએ અભ્યાસ કર્યો છે..જેમાં સામે આવ્યુ કે જે લોકો મેડિકલ માસ્ક પહેરે તેમના મોતની સંભાવના 87 ટકા ઓછી થાય છે. આ અભ્યાસમાં કોવિડના યુકે સંસ્કરણ સામે મુકાબલો કરવા ડબલ માસ્ક પહેરવુ…
ગરમ સૂર્ય, પ્રદૂષણ, ગરમ પવનની સીધી અસર આપણી આંખો પર પડે છે. એટલું જ નહીં, લેપટોપની સામે ઘરે કલાકો સુધી કામ કરતા લોકોમાં પણ આ સમસ્યા સામાન્ય છે. સૂર્યપ્રકાશ અને વાદળી કિરણો આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે જેના કારણે આંખોમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થાય છે. ઘણી વાર માથાનો દુખાવો પણ આ કારણે થાય છે અને આપણે થાક અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારી નાજુક આંખોની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તો ચાલો અમને જણાવીએ કે ઘરે રહીને તમે તમારી આંખોની બળતરાને શાંત કરવા માટે કયા ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આંખોમાં તીવ્ર જલન થઇ…
ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશી 7 મેના રોજ રહેશે. જેને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. આ એકાદશી અંગે ભગવાન શ્રીકૃષ્ણજીએ અર્જુનને જણાવ્યું હતું આ વ્રત કરવાથી સૌભાગ્ય અને આરોગ્ય પણ મળે છે. વરૂથિની એકાદશી વ્રતનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ એકાદશી ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આવે છે. આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુજી જ છે. એટલે આ તિથિ વધારે ખાસ છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અનેક વર્ષો સુધી તપસ્યા કરવા જેટલું ફળ મળી…
આ દુનિયામાં એક એવી ઝીલ છે જેના સંપર્કમાં આવતા જ જીવ-જંતુ પથ્થર બની જાય છે. જો કે એવું સ્પષ્ટ રીતે એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કેટલીક જૂની ફોટો કહે છે. નેટ્રોન નામની આ ઝીલ ઉત્તર તાંઝાનિયા સ્થિત છે. આફ્રિકન દેશ ઉત્તરી તાંઝાનિયામાં નેટ્રોન ઝીલ વિશે કહેવામાં આવે છે કે આ તળાવના સંપર્કમાં આવતા બધા પ્રાણીઓ પથ્થર બની જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, નેટ્રોન ઝીલમાં આલ્કલાઇન પાણીનું પીએચ 10.5 ની બરાબર છે અને તે એટલું કોસ્ટિક છે કે તે પ્રાણીઓની ત્વચા અને આંખોને બાળી નાખે છે. પાણીની ક્ષારીયતા સોડિયમ કાર્બોનેટ અને અન્ય ખનિજોથી આવે છે જે આજુબાજુની ટેકરીઓથી ઝીલમાં વહે છે આ…
રેમડેસિવિર ઈન્જેકશનના કાળા બજાર કરવાના ગુનાહિત કારસામાં સંડોવાયેલા આરોપીઓનો કેસ ન લડવા આજે સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની વર્ચ્યુઅલ મિટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપપ્રમુખ નૈષધ જાસોલીયાએ જણાવ્યું હતું કે, બેઠકમાં ઇન્જેકશનના કાળાબજાર કરનાર તત્વોના ગુનાઇત કૃત્યને આકરા શબ્દોમાં વખાડી કઢાયું હતું. હોસ્પિટલના વેન્ટીલેટર પર દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતું હોય ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનની જરુરીયાત પર ભાર મૂકી વ્યવસ્થા કરવા સબંધીઓ પર દબાણ કરાય છે. જેને પગલે લેભાગુઓએ ઇન્જેકશનના કાળાબજાર સહિત ડુપ્લિકેટ ઇન્જેકશન બનાવવાનું શરૂ કરી દીધું છે. વકીલ મંડળના હોદ્દેદારોએ કોરાના કાળમાં માનવતા મુકીને ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેકશન વેચતા કે કાળા બજારી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વોના કેસને…
ભારતમાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં બીજી લહેરે તબાહી બોલાવી છે ત્યારે સતત નવા અભ્યાસો બહાર આવી રહ્યા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકન સંસ્થાએ પણ ભારતમાં કોરોના સંક્રમણ પર રિસર્ચ રજૂ કર્યું છે. અમેરિકાની ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ કરેલા રિસર્ચના અનુમાનમાં ચોંકાવનારા આંક સામે આવ્યા છે. હાલની સ્થિતિએ જો ભારતમાં કોરોના વકરતો રહેશે તો 1 ઓગસ્ટ 2021 સુધી 10 લાખ લોકોના થઈ શકવાનું અનુમાન લગાવ્યું છે.ભારતમાં કોરોના સંક્રમણના કેસ 7 ઓગસ્ટ સુધીમાં 20 લાખનો આંકડો પાર કરી ગયા હતા. ત્યાં અમેરિકા સ્થિત શીર્ષ ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ અનુમાનિત જાહેર કર્યું…
કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી છે. જેને પગલે કેન્દ્રીય આરોગ્ય સચિવાલયના લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાથી થનારા મોતમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં વધુ મૃત્યુના કેસો નોંધાયા છે. બેંગલુરુમાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ 1.49 લાખ કેસ નોંધાયા છે. ચેન્નઇમાં 38 હજાર કોરોના નવા કેસ નોંધાયા છે. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજયરાઘવાને કહ્યું કે કોરોના વૈક્સીન વર્તમાન વૈશ્વિક વર્તમાન વેરિયન્ટની વિરુદ્ધ પ્રભાવી છે. ભારતમાં નવા વેરિયન્ટ પેદા થશે પરંતુ ટ્રાન્સમિશનને વધારનારા વેરિયન્ટમાં ઘટાડો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. તેઓએ કહ્યુ છે કે…