કવિ: Dharmistha Nayka

દેશના કે શહેરના રસ્તાઓ પર આ પશુને દેશમાં વિલુપ્ત થઈ રહેલા જાનવરોની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે, આ શાંત અને માસૂમ જાનવરની સંખ્યા ઓછી થવાનું કારણ તેમને મારવામાં આવી રહ્યા છે તેવું કારણ સામે આવી રહ્યા છે. કેટલીક રિપોર્ટસ મુજબ કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ જાનવરનું માંસ ખાવાથી તેમના સ્વાસ્થ્યમાં લાભ થશે. જ્યારે બીજી તરફ ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)ના અનુસાર ગદર્ભને ભોજન તરીકે ઉપયોગ ના કરી શકાય સાથે સાથે તેમને મારવા પણ ગેરકાયદેસર છે. આંધ્રપ્રદેશમાં આ મામલાને લઈને તપાસ ચાલી રહી છે.આંધ્ર પ્રદેશમાં ગદર્ભનું માંસનો વપરાશ થઈ રહ્યો છે, ત્યારે આ મામલાને લઈને તપાસ થઈ રહી…

Read More

કોવિડ સંકટના કારણે દેશભરમાં કેટલાય રાજ્યોમાં કડક પ્રતિબંધો અમલ આવ્યા છે. છત્તીસગઢમાં પણ હાલ લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે આવા સમયે લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. લોકડાઉનમાં બલરામપુર જિલ્લાનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પોતાની દુલ્હનને લેવા માટે બાઈક પર વરરાજો એકલો ગયો હતો. વરરાજો ઝારખંડનો રહેવાસી હતો. બાઈક પર વરરાજાને એકલો જોઈ બોર્ડર પર તૈનાત પોલીસ કર્મી પણ હૈરાન થઈ ગયા હતા આ ભાઈના લગ્ન બલરામપુર રામાનુજગંજ જિલ્લાના સનાવલમાં થવાની હતી. બધુ ગોઠવાઈ ગયુ હતું. જો કે, લોકડાઉનના કારણે જાન લઈને આવવુ શક્ય નહોતું. ત્યારે વરરાજો લગ્ન માટેનો પોશાક પહેરી સજીધજીને સાફાની…

Read More

સુરત શહેર સાથે ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર રીતે સંક્રમણ મા વધારો થવા સાથે સાથે નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. સુરત શહેર સાથે ગ્રામ્યમાં કાર્યરત ખાનગી હોસ્પિટલોના કોવીડ સેન્ટરોમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ થયેલા 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.મ્યુકોર્માયકોસિસ મુખ્યત્વે નાકના પોલાણના ઉપરના ભાગમાં થાય છે. તે ધમનીઓ દ્વારા ફેલાતું હોવાથી રક્ત વાહિનીઓને પણ ચેપ લગાડે છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે…

Read More

ગુજરાતમાં હાલમાં કોવિડના મૃત્યુના ડરથી લોકો ફફડી રહ્યા છે. કોવિડના આ બીજી લહેરમાં લોકો ભલે ડરી ગયા છે. પરંતુ ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર ખૂબ ઘાતક હોય શકે છે. ઓક્ટોબર માસમાં ત્રીજી લહેર જોવા મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો વાઈરસ મ્યુટેશન સાથે આવે તો વધુ ઘાતક બની શકે છે. જોકે મૃત્યુઆંક ઘટી શકે છે. આપણી પાસે વ્યવસ્થા સારી થઈ ગઈ છે. અન્ય મેડિકલ સંસાધનો પણ ઉપલબ્ધ થઇ રહ્યા છે. જીવન રક્ષક ઇન્જેક્શનો પણ પૂરતા પ્રમાણમાં મળી શકશે. વ્યક્તિને વેક્સિનેશની પ્રક્રિયા પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે. ત્રીજી લહેર બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ…

Read More

ભાવનગરની સર ટી, હોસ્પિટલના ત્રીજા માળે કોરોનાની સારવાર રહેલા લઈ રહેલા દર્દીએ પડતું મૂકતા મોત થયુ છે. આ ઘટનામાં દર્દીના પરીવારે હોસ્પિટલ તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે. દર્દીને ભાગવાની ટેવ હોવા અંગે હોસ્પિટલને જાણ કરવા છતા તેની યોગ્ય કાળજી ન લેવાતા પડતુ મૂક્યાનુ પરિવારે આક્ષેપ કર્યો છે. રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ  આપઘાત કર્યો છે. સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પોઝિટિવ દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂકાવ્યુ છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અગાઉ શહેરમાં સમરસ હોસ્ટેલમાં અને હોમ આયસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવ બન્યા છે.

Read More

ઉત્તરાખંડમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આગામી 14 મેથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે એસઓજી જાહેર કરી દીધી છે. સરકારના દિશા-નિર્દેશ મુજબ મહામારીને અટકાવવા માટે આ વખતે ચાર ધામમાં સામાન્ય લોકોને આવવા પર પ્રતિબંધ રહેશે. મંદિર પરિસરમાં પ્રસાદ વહેંચણીની પણ મંજૂરી નહીં હોય અને ટીકા પણ લગાવવામાં નહીં આવે. ગર્ભગૃહ સુધી માત્ર મંદિર મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને જ જવાની મંજૂરી હશે. તેમાં પણ મૂર્તિઓ, ઘંટી અથવા ધાર્મિક ગ્રન્થોને સ્પર્શન કરવાની મંજૂરી નથી.એસઓપી મુજબ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં માત્ર રાવલ, પુજારીગણ અને મંદિરો સાથે જોડાયેલા સ્થાનિક વર્ચસ્વવાળા, પંડા પુરોહિત, કર્ચમારી અને અધિકારી જ જશે. આટલું જ નહીં, તમામને…

Read More

મુંબઈમાં કોરોનાની ભયજનક સ્થિતિ વચ્ચે ટ્રાન્સજેન્ડર લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. અહીં ‘કિન્નક માં સંસ્થા’ સાથે સંકળાયેલા સભ્યો મુંબઈના વિવિધ વિસ્તારોમાં જઈને જરૂરીયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. કિન્નર માં સંસ્થાના અધ્યક્ષ સલમા ખાન કહે છે કે કોરોનાની બીજી લહેર આવ્યા બાદ અત્યાર સુધી 80 હજારથી વધારે લોકો સુધી રાશન પહોંચાડી ચુક્યા છીએ. સંસ્થા સાથે સંકળાયેલા લોકો દરરોજ એક હજારથી વધારે રાશનના પેકેટની વહેચણી કરી રહ્યા છે. તેઓ લોકોને માસ્ક અને સેનિટાઈઝર પણ પહોંચાડી રહ્યા છે. આ સાથે પોલીસ સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ માસ્ક અને સેનિટાઈઝરની વહેચણી કરી ચુક્યા છે. સંસ્થા સાથે એક લાખથી…

Read More

વેડિંગ ડે દુનિયાના દરેક કપલ માટે ખાસ હોય છે. આ સ્પેશિયલ ડે માટે દુલ્હા-દુલ્હન મહિનાઓથી પ્લાન કરતાં હોય છે. વેડિંગમાં આવેલા દરેક મહેમાનોનું ધ્યાન દુલ્હા-દુલ્હન પર જ હોય છે, પણ એક લગ્નમાં વરરાજા અને તેની દુલ્હનને બદલે દુલ્હાની મમ્મી પર લોકોનું ધ્યાન ગયું. એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો વેડિંગ ડે કેવી રીતે ખરાબ થયો એના પર પોસ્ટ કરી. આ યુઝરે તેનું નામ જાહેર કર્યું નથી. દુલ્હને તેની પોસ્ટમાં ગુસ્સો ઠાલવતાં કહ્યું, મારા લગ્નના દિવસે મારાં સાસુએ બધાને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. આ સમાચાર સાંભળીને બધી તૈયારી પર પાણી ફરી વળ્યું. રેડિટ પર આ 24 વર્ષીય દુલ્હને પોતાની આપવીતી…

Read More

ઇંગ્લેન્ડમાં 21 વર્ષીય માતાએ 16 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો, પણ જન્મ આપતાની સાથે જ બેબી ચર્ચાનું કેન્દ્ર બન્યું. જન્મતાની સાથે તેનું વજન 5.8 કિલો હતું. બાળકનું આટલું વજન કોઈને ડૉક્ટર પણ અચંબામાં મૂકી ગયા હતા. જો કે, હાલ બાળક અને માતા એ બંને સ્વસ્થ છે. એમિલિયા યુકેમાં બીજા નંબરનું સૌથી વજનદાર ન્યૂબોર્ન ચાઈલ્ડ બની છે.એમ્બરે કહ્યું, પ્રેગ્નન્સી દરમિયાન હું માર્કેટમાં જતી ત્યારે લોકો મારા બેબી બમ્પ સામે સામે વિચિત્ર રીતે જોતા હતા કારણકે તેની સાઈઝ નોર્મલ કરતાં વધારે હતી. મને અને મારા પતિ સ્કોટ તથા ડૉક્ટરને લાગતું હતું કે હું જોડિયાં બાળકોને જન્મ આપીશ પણ સોનોગ્રાફીમાં માત્ર એક જ બાળક…

Read More

ઈંગ્લેન્ડ માટે સિક્કાઓ બનાવનાર ‘ધ રોયલ મિન્ટ’ ફરી એક વાર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધ રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સિક્કો તૈયાર કર્યો છે. 1100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો સિક્કો છે. સોનાના આ સિક્કાનું વજન 10 કિલોગ્રામ છે અને તે 20 સેન્ટિમીટર પહોળો છે. ધ રોયલ મિન્ટે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. આ યુનિક સિક્કો ઓલરેડી વેચાઈ ગયો છે. જોકે સંસ્થાએ તેના બાયર વિશે માહિતી આપી નથી, પંરતુ તેણે આ સિક્કા માટે 6 ડિજિટના પૈસા ચૂકવ્યા છે. માસ્ટર ક્રાફ્ટ્સપીપલ ટીમના મેમ્બર્સે મળી આ જાયન્ટ કોઈન તૈયાર કર્યો છે. તેને ડેવલપ કરવા માટે ટ્રેડિશનલ સ્કિલ અને ઈનોવેટિવ…

Read More