સુરતમાં કોરોનાના કેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે. સુરતમાં સોમવારે પણ 18 લોકોનાં મોત થયાં છે.સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મોતનું તાંડવ થઈ રહ્યો છે. દરેક સ્મશાનગૃહમાં મૃતકની અંતિમવિધિ માટે કલાકો સુધી પરિવારજનોએ લાઈન લગાવી વેઈટિંગ…
કવિ: Dharmistha Nayka
દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુંભમેળામાં શાહીસ્થાન યોજાયું હતું. સોમવતી અમાસના આ શાહીસ્નામાં દેશભરમાંથી આવેલા 35 લાખ જેટલાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે. જોકે, કુંભમેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અશક્ય બની ગયાનું સ્થાનિક સરકારી તંત્રએ કહ્યું હતું.કુંભ મેળામાં પોલીસ નિયંત્રણ કક્ષના જણાવ્યા અનુસાર સોમવારે શાહી સ્નાનમાં કુલ 31 લાખથી વધારે લોકોએ ભાગ લીધો હતો. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે રાતે 11.30 કલાકે સોમવારે સાંજે પાંચ વાગ્યે 18169 ભક્તોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 102 પોઝિટીવ આવ્યા હતા.આ ઉપરાંત કેટલીય જગ્યાએ મેળા પ્રસાસન તરફથી થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જ્યારે સીસીટીવી કેમરાની નજર હેઠળ શ્રદ્ધાળુ માસ્ક નહીં પહેરતા.…
12 એપ્રિલ એટલે કે સોમવાર પછી, સતત 6 દિવસ માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં, જે લોકો પાસે બેંકિંગ સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય છે, તેઓ આવતીકાલે બેન્ક પૂર્ણ કરી લેવા યોગ્ય રહેશે. આ પછી, તમારે વધુ રાહ જોવી પડશે. હવે એપ્રિલમાં બેંકો કુલ 9 દિવસ માટે બંધ રહેશે. બેંકોની રજાઓ વિશે અગાઉથી જાણવું જરૂરી છે. એવું જોવા મળે છે કે લોકો બેંકમાં તેમના મહત્વપૂર્ણ કામ કરવા જાય છે અને ત્યાં એક લોક લટકાવેલું છે. આ મુશ્કેલી તરફ દોરી જાય છે.સજણાવી દઈએ કે તમામ રાજ્યોમાં બેંકોની રજાના નિયમો અલગ છે. એપ્રિલમાં દરેક રાજ્યમાં બેંકો માટે 15 દિવસની રજા રહેશે નહીં. આ એટલા માટે છે કે…
કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ અંગે વિવાદ સર્જાયો છે. એ વિવાદને ઉકેલવા માટે તિરૃમાલા તિરૃપતિ દેવસ્થાનમે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ૨૧મી એપ્રિલે અહેવાલ રજૂ કરશે.હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે ધર્મગ્રંથોમાં પણ અલગ અલગ વર્ણનો મળે છે તેના કારણે હવે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ વિશે વિવાદ શરૃ થયો છે. કર્ણાટકના શિવમોગ્ગામાં રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે હનુમાનજીએ ખુદ સીતાજીને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું એ પ્રમાણે તેમનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. અગાઉ કર્ણાટકે દાવો કર્યો હતો…
સાર્વજનિક ક્ષેત્રના સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોકોને covid-19ની રસી લગાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિશેષ જમા યોજના શરુ કરી છે. આ યોજના હેઠળ બેંક રસી લગાવી ચૂકેલા લોકોને માન્ય કાર્ડ દર પર 0.25 ટકા વધારે વ્યાજ આપશે. બેંકે નિવેદનમાં કહ્યુ છે કે, આ નવા ઉત્પાદનનું નામ ‘ઈમ્યૂન ઈન્ડિયા ડિપોઝિટ સ્કીમ’ છે. જેની પરિપક્વતા અવધિ 1,111 દિવસની હશે.આ મર્યાદિત-અવધિ યોજનાનો લાભ લેવા બેંકે નાગરિકોને રસી અપાવવા વિનંતી કરી છે. બેંકે જણાવ્યું હતું વરિષ્ઠ નાગરિકો માન્ય વધારાના વ્યાજ માટે યોગ્ય રહેશે. બેંકના જણાવ્યા અનુસાર, રસીની એક ડોઝ લગાવનારને પણ આ લાભ થશે.કોવિડના રસીકરણને પ્રોત્સાહિત કરવા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 1111 દિવસ માટે…
નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે રસી લઈ લીધા પછી પણ એ વ્યક્તિ અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે, માટે સાવધાન રહેવું જરૃરી છે.આ સંસ્થાનના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથે કહ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જોઈએ. સંશોધનમાં જણાયું હતું કે રસી લેનારી વ્યક્તિને કોરોનાથી ખતરો ઘટી જાય છે. અથવા તો કોરોના થાય પછી ગંભીર સ્થિતિ મોટાભાગે આવતી નથી. એ વ્યક્તિ અન્યને ચેપ ચોક્કસ લગાડી શકે છે. વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. રસી લીધા પછી પણ એ વ્યક્તિ બીજાને કોરોનાનો ચેપ લગાવી શકે છે.આ સંસ્થાના વિજ્ઞાાનીઓએ કહ્યું હતું…
ગર્લફ્રેન્ડની અજીબોગરીબ માગને કારણે તંગ થઈ ગયેલા યુવકે રિલેશનશીપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માગી છે. યુવકે લખ્યુ છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા 3 વર્ષથી સંબંધમાં છે, જે ખૂબ જ હોશિયાર અને સ્માર્ટ યુવતી છે. જો કે, યુવક પોતાની ગર્લફ્રેન્ડની એક આદતથી ખૂબ જ પરેશાન છે.યુવકે એક વેબસાઈટ પર જણાવ્યુ હતું કે, મારી ગર્લફ્રેન્ડમાં સારી આદતો પણ છે, પણ તેની એક આદત મને બહુ ખરાબ લાગે છે. કોઈ પણ કામ કર્યા બાદ તે તેના વખાણ તો સાંભળવાના જ પણ સાથે સાથે ટિકા પણ સાંભળવા માગે છે. ખાવાનું બનાવાથી લઈને, મને ગિફ્ટ આપવા અથવા તો મારા માટે કોઈ પણ કામ…
13 એપ્રિલ, મંગળવારથી 21 એપ્રિલ સુધી રહેશે. આ દિવસોમા દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ. દેવી માતાએ દૈત્યોનો વધ કરવા માટે અનેક અવતાર લીધા છે. દેવી માતાએ મહિષાસુરનો વધ કરવા માટે દુર્ગાના સ્વરૂપમાં અવતાર લીધો હતો. દુર્ગા સપ્તશતીમાં દેવી અવતાર અંગે જણાવવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં મહિષાસુર નામના અસુરે દેવતાઓને સ્વર્ગથી ભગાડીને ત્યાં પોતાનો અધિકાર કરી લીધો હતો ત્યાર બાદ બધા જ દેવતાઓ શિવજી અને વિષ્ણુજી પાસે પહોંચ્યાં હતાં. મહિષાસુરના આતંકથી શિવજી અને વિષ્ણુજી ગુસ્સે થઇ ગયાં ત્યારે જ બધા દેવતાઓના મુખમાંથી તેજ પ્રકટ થયું જે નારી સ્વરૂપમાં બદલાઇ ગયું. શિવના તેજથી દેવીનું મુખ યમરાજના તેજથી કેશ વિષ્ણુના તેજથી હાથ…
વિરમતીબેન ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા જીવન ભારતી મંડળના સહકારથી યોજાતી પબ્લિક કોન્ટેસ્ટ- વક્તૃત્વ સ્પર્ધા તેના છવ્વીસમાં વર્ષે કોરોના ગ્રસ્ત થાય તેવો ભય પાછો ઠેલીને તેનું ઓન-લાઈન આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે આ સ્પર્ધાનો વ્યાપ વિસ્તર્યો અને ગુજરાત-ભારત-વિદેશના હરીફોએ પણ આ સ્પર્ધામાં ભાગ લઈને તેને ગ્લોબલ બનાવી હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા અન્યો એવા ચાર ભાગોમાં છેલ્લા ૨૬ વર્ષોથી યોજાતી આ સ્પર્ધામાં અત્યંત રોચક વિષયો પર બોલવાનું હરીફોને આમંત્રણ અપાય છે. આ વર્ષનાં વિષયો નીચે મુજબ ગ્રુપ એ: પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ (ધો. ૫ થી ૮) – પહેલું સુખ તે જાતે નર્યા, લોકડાઉનમાં મેં…
‘કરન્ટ બાયોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, આપણું શરીર બપોર પછી અને વહેલી સવારે 10% વધારે કેલરી બર્ન કરે છે. આ સમયગાળા દરમિયાન તમારું શરીર આપમેળે જ તમારી કેલરી બર્ન કરવામાં લાગી જાય છે. કેલરી બર્ન કરવાનું કામ શરીરની સર્કેડિયન રિધમ આપણી ઈન્ટર્નલ ક્લોકને લીધે થાય છે. આ જ ક્લોક આપણને ભૂખ અને ઊંઘ વિશે જણાવે છે. આ ક્લોક ક્યારે તમારા શરીરની કેલરી બર્ન કરવી જોઈએ તે આપમેળે નક્કી કરી લે છે. ઈન્ટર્નલ ક્લોક અને કેલરી બર્ન વચ્ચેનું કનેક્શન સમજવા માટે વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું હતું. તેમાં મેટાબોલિઝમનું રેગ્યુલેશન કરવા માટે સર્કેડિયન રિધમની ભૂમિકા સમજવામાં આવી હતી. તેના માટે 7…