ગોરવા કરોડિયા વિસ્તારમાંથી 27 વર્ષીય મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન અભયમને ફોન કરીને જણાવ્યું હતું કે પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં પતિ ત્રાસ આપે છે. મહિલાનો ફોન આવતાં જ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી હતી. એક સંતાનની માતા એવી આ મહિલાએ હોમ ક્વોરન્ટીન અવસ્થામાં અભયમને જણાવ્યું હતું કે તે કોરોનાનો ભોગ બની છે અને પોતાના ઘરમાં એક રૂમમાં તે અલગથી રહે છે છતાં તેનો પતિ તેની સાથે સતત જાતીય સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો છે. પોતે બીમાર હોવાથી ઇન્કાર કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને માર મારી કોરોનાગ્રસ્ત પત્નીને ઘરની બહાર નીકળી જવા દબાણ કર્યું હતું. અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ…
કવિ: Dharmistha Nayka
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80 ટકા દર્દીઓ ઓકિસજન પર છે. જેમના RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકીના મોટા ભાગના દર્દીઓના સીટી સ્કેન કરાવવામાં આવ્યા નથી, કેમ કે 700થી વધુ દર્દીઓના સીટી સ્કેન કરાવવા શકય નથી, પરંતુ ડોકટરો કહે છે કે ઓકિસજન પર દર્દી ત્યારે જ હોય જ્યાારે તેમનાં ફેફસાં 40 ટકા કરતાં વધુ ડેમેજ હોય શકે છે. અને રોજબરોજ જે નવા દર્દી દાખલ થાય છે, એમાં પણ 89 ટકા દર્દીઓને ઓકિસજનની જરૂર પડે છે. જો 15થી 29 ટકા ફેફસાં ઈન્ફેકટ થયાં હોય તો તેવા દર્દીને ઓકિસજનની જરૂર પડતી નથી. દર્દી દાખલ થયાના ત્રીજા જ દિવસે 70% ઇન્ફેક્શન. અમરેલીના દર્દીને…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ અમિત શાહ પર અંકુશ લગાવે, કેમકે તેઓ રાજ્યમાં હિંસા ભડકાવી શકે છે.પૂર્વ વર્ધમાન જિલ્લાના મેમારીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે મમતા બેનરજીએ કહ્યું કે મેં આવો ગુંડો, હિંસાખોર ગૃહમંત્રી મારી આખી જિંદગીમાં નથી જોયો. અમિત શાહ વાઘ કરતા પણ વધારે ખતરનાક છે. લોકો તેમની સાથે વાત કરતા ડરે છે. હું નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે તેઓ પહેલા અમિત શાહ પર અંકુશ લગાવે. તેઓ અહીં હિંસા ભડકાવી રહ્યા છે.આટલેથી ના અટકતા તેમણે અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દરેક પ્રકારના અનૈતિક કાર્ય માટે પોલીસ પર…
૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં આવકવેરા અને કોર્પોરેટ tax કલેક્શન ૯.૪૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે રિવાઇઝ્ડ લક્ષ્યાંક કરતાં પાંચ ટકા વધારે અને ગત નાણાકીય વર્ષ કરતા ૧૦ ટાક ઓછું છે તેમ આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ની પહેલી ફેબુ્રઆરીના રોજ રજૂ કવામાં આવેલા બજેટમાં આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક ૧૩.૧૯ લાખ કરોડ રૃપિયા નક્કી કરવામાં આવ્યો હતો. જો કે આ લક્ષ્યાંક કોરોના મહામારી પહેલાનો હતો. કોરોના મહામારી પછી સરકારે આ લક્ષ્યાંક ઘટાડીને ૯.૦૫ લાખ કરોડ રૃપિયા કર્યુ હતું.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)ના ચેરમેન પી સી મોદીએ જણાવ્યું હતું કે નાણાકીય ૨૦૨૦-૨૧માં મોટા…
રવિવાર, 11 એપ્રિલ અને સોમવાર 12 એપ્રિલના રોજ ફાગણ મહિનાની અમાસ તિથિ છે. રવિવારે સવારે સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગમાં કરવામા આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થઇ શકે છે. ફાગણ મહિનાની અમાસના દિવસે શિવજી, સૂર્ય અને પિતૃઓ માટે વિશેષ પૂજા-પાઠ કરવા જોઇએ. રવિવારે સ્નાન દાન અને શ્રાદ્ધ કર્મની અમાસ રહેશે. આ દિવસે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. તે પછી પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઇએ. સોમવારે અમાસ હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન, દાન-પુણ્ય વગેરે શુભ કામ કરવા જોઇએ. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઇ મંદિરમાં પૂજન…
રોગચાળાએ લોકોને કરવાની ઘણી વસ્તુઓ ને અસર કરી, ખાસ કરીને જો તેઓ સેક્સ કરે છે અને કેવી રીતે કરે છે. એસ.આઈ.યુ. માં આરોગ્ય સેવાના મેડિકલ ચીફ ડો. કેલી ફેરોલે કહ્યું કે તે માને છે કે સલામતી એ પ્રાથમિક ચિંતા છે. ફેરોલે કહ્યું કે, “મને લાગે છે કે અન્ય કોઈપણ સમયની જેમ હું પણ હંમેશાં સેફ સેક્સ અને તમારા જીવનસાથીને જાણવાની ભલામણ કરીશ.” “કોવિડના સમયમાં, તમે તમારા જીવનસાથી વિશે વધુ જાણો છો, તમે જે જોખમ લઈ રહ્યા છો તેના વિશે તમે વધુ જાણો છો.”સલામતીને ધ્યાનમાં રાખીને, ફેરોલે કહ્યું કે તે શક્ય હોય તો સેક્સ ટાળવાનો પ્રયાસ કરવાની ભલામણ કરે છે.“જોખમ દૂર…
આજની આ ભાગદોડના સમયમાં જિંદગીમાં સૌ કોઇની શરીરમાં ચરબી વધવા લાગી છે. જ્યારે એવું લાગવા લાગે છે કે, આપણી જીવનશૈલીને કારણ આપણા શરીરનો આકાર બદલાઇ ગયો છે, ત્યારે આપણી ઊંઘ ઉડી જાય છે અને આપણે જીમ અને ડાયેટિંગ તરફ ભાગવા લાગીએ છીએ.પરંતુ એક વાત યાદ રાખજો કે શરીરને બગડવામાં અથવા તો વજનને વધવામાં જેટલો સમય લાગ્યો છે તેટલો જલ્દી તમારી બોડીનો આકાર નહીં આવી જાય. એ માટે તમારે ધીરજ રાખવી પડશે. અમે તમને અહીં અહેવાલમાં જણાવીશું કે, કેવી રીતે ઘરમાં ઉપલબ્ધ એક મસાલો અથવા તો એક ઔષધિ દ્વારા જ તમે વગર કોઇ એક્સ્ટ્રા મહેનતે તમારું વજન પણ ઓછું કરી શકો…
તમે નહીં માનો એક એવી ઘટના ઘટી છે. સુવરની બનાવેલી એક પેઈન્ટિંગનું વેચાણ 2.36 લાખ રૂપિયામાં કરવામાં આવ્યું છે. હકિકતમાં પિકાસો નામનું સુવર કેટલાય વર્ષોથી પેઈન્ટિંગ બનાવવાનું કામ કરી રહી છે. હાલમાં જ તેને બ્રિટેનના પ્રિંસ હેરીનું પેઈન્ટિંગ બનાવ્યું હતું. જેને 2.36 લાખ રૂપિયામાં સ્પેનના એક વ્યક્તિએ ખરીદ્યું છે.પિગ્કાસો અત્યાર સુધી પોતાના પેઈન્ટિંગથી કુલ 50લાખ 23 હજાર રૂપિયાની કમાણી કરી ચૂક્યો છે. આ તમામ પૈસા અન્ય જાનવરોની દેખભાળ કરવા માટે ખર્ચ કરવામાં આવે છે. આ પહેલા પિગ્કાસોએ બ્રિટનની રાણીની એક પેઈન્ટિંગ પણ બનાવી હતી. જેનું વેચાણ 2 લાખ રૂપિયામાં થયું હતું.પિગ્કાસોની ઉંમર 4 વર્ષની છે. અત્યાર સુધી સેંકડો પેંઈન્ટિંગ બનાવી…
સરકારે MSME અને નાના વેપારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંક RBI એ પેમેન્ટ બેંકોમાં રાખવામાં આવતી મહત્તમ રકમની મર્યાદા 1 લાખથી વધારી 2 લાખ કરી દીધી છે. નાના વેપારીઓ, MSME સહિત ગ્રાહકોની જરૂરિયતોને પૂર્ણ કરવા માટે તાત્કાલિક પ્રભાવથી ફેરફાર કરાયો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે નાણાકિય નીતિ સમિતિની બેઠક પછી આ નિર્ણયની જાહેરાત કરી હતી. અત્યાર સુધી ચુકવણી માટે બેંકો માટે આ મર્યાદા 1 લાખ પ્રતિ વ્યક્તિ હતી.RBIએ એક સર્ક્યુલરમાં જણાવ્યું છે કે પેમેન્ટ બેંકોની નાણાકિય સમાવેશ ક્ષેત્રમાં પ્રગતિ તેથી પ્રતિ ગ્રાહક મહત્તમ રકમ રાખવાની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારી 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મોબાઇલ…
કોરોનાને લઈને એક તરફ હોસ્પીટલમાં બેડ ખૂટી પડ્યા છે બીજી તરફ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે અને જડીબુટી સમાન રેમડેસીવીર ઇન્જેકશનની પણ અછત વર્તાઈ રહી છે. આ સમગ્ર બાબતોમાં સરકાર જાણે કે રાજ્યમાં સબ સલામત છે અને મોત વધારે નથી થઇ રહ્યા તેવું સાબિત કરવા સતત કાર્યરત હોય એ રીતે સરકારનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે.અમદાવાદની જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય કોઇપણ સરકારી હોસ્પિટલ હોય તે કોરોનાની સારવારની સાથે સરકારને જાણે કે આંકડા છુપાવવામાં મદદ કરતી હોય એ રીતે કામગીરી નિભાવી રહ્યા છે. સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સરકાર દરરોજ મોતના જે…