કોરોના વાયરસનો કહેર દુનિયાના હજૂ એક પણ દેશમાં ખતમ થયો નથી. ત્યારે હવે વધુ એક રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત ફેલાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં આ બિમારીની ચપેટમાં લગભગ 40થી વધારે લોકો આવી ગયા છે, જ્યારે 5 લોકોના મોત પણ થયા છે. ચિંતાની વાત તો એ છે કે, આ બિમારીને લઈને હાલમાં ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો પાસે કોઈ જ જાણકારી નથી. આ બિમારીને હાલ તો મગજની બિમારી સાથે જોડી રહ્યા છે. આવી બિમારીઓ ક્રુટજફેલ્ટ-જૈકોબ રોગ અથવા CJDના નામથી પણ ઓળખાય છે. કેનેડામાં કેટલાય એક્સપર્ટ તેને મૈડ કાઉ ડિસીઝના નામથી પણ ઓળખે છે. કહેવાય છે કે, આ બિમારીનો સૌથી પહેલો કેસ 2015માં આવ્યો હતો.…
કવિ: Dharmistha Nayka
1 એપ્રિલથી એલપીજી ગૈસ સિલેંડરના ભાવ ઘટી ગયા છે. એલપીજી ગૈસ સિલેંડરની કિંમતમાં 10 રૂપિયાનો કાપ મુકાયો છે. ત્યાર બાદ દિલ્હીમાં સબ્સિડી વગરનો બાટલો 14.2 કિગ્રા LPG ગૈસ સિલેન્ડર ખરીદવા માટે પેટીએમે ગ્રાહકો માટે બમ્પર ઓફર લાવ્યા છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 809 રૂપિયાવાળો સિલેન્ડર ફક્ત 9 રૂપિયામાં મળશે.Paytmએ કૈશબૈક ઓફરની શરૂઆત કરી છે. આ કૈશબેક ઓફરમાં જો કોઈ ગ્રાહક ગૈસ સિલેન્ડર બુક કરાવે છે તો તેને 800 રૂપિયા સુધીનું કૈશબૈક મળી શકે છે. આપને જણાવી દઈએ કે, Paytmની આ ઓફર 30 એપ્રિલ 2021 સુધી લાગૂ રહેશે.એટલે કે, આખો મહિનો એલપીજી ખરીદવા માટે આપની પાસે સારો એવો મોકો છે.જો આ…
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરની પડકાર વચ્ચે આગામી 28 જૂનથી શરૂ થનારી amarnath યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે. જમ્મુ કાશ્મીરની 17 બેંકોમાં નોંધણી પ્રક્રિયા શરૂ થશે. નોંધણી માટે તબીબ પ્રમાણપત્ર પણ અનિવાર્ય રખાયું છે. તો હેલિકોપ્ટરથી પ્રવાસ ખેડનાર માટે નોંધણીની કોઈ જરૂર નહિ પડે.ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા કલમ-370 હટાવવા અને ગત વર્ષે કોરોના મહામારીને લીધે યાત્રા બે વર્ષથી પ્રભાવિત રહી છે. આ વર્ષે અમરનાથમાં દેશ-વિદેશના છ લાખથી વધુ શિવ ભક્તો પહોંચે તેવી આશા સેવાઈ રહી છે.તંત્ર દ્વારા પણ એ પ્રમાણે જ તૈયારીઓ કરાઈ રહી છે. યાત્રિકોના આવાસ માટે 1500થી વધારી 5000 આવાસની…
જો સ્વસ્થ રહેવું છે તો સવારનો નાસ્તો ફૂલ પેટ હોવો જોઈએ કારણ કે એ દિવસભર કામ કરવામાં ઉર્જા આપે છે. બપોરનું ભોજન એનાથી થોડું હલકું અને રાત્રીનું ભોજન એકદમ હલકું હોવું જોઈએ.આજ કારણ છે કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ નાસ્તામાં વધુમાં વધુ પૌષ્ટિક વસ્તુને સામેલ કરવાની સલાહ આપે છે. જેથી રિચ ડાઈટ લેવાથી શરીરમાં એનર્જી બની રહે. પરંતુ શું તેમે જાણો છો કે કેટલીક એવી વસ્તુ પણ છે જે પોષ્ટીક હોવા છતાં સવારે ખાલી પેટ લેવી ન જોઈએ. જાણીએ એ વસ્તુ અંગે.સૌથી પહેલા વાત કરીએ કેળાની કારણ કે તેને સુપરફુડ માનવામાં આવે છે. કેળામાં ભરપૂર આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, થાઈમિન, રિબોફ્લેવિન, નિયાસિન,…
આ વર્ષના ઉનાળામાં તાપમાન ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ એપ્રિલ-મે-જૂન દરમિયાન તાપમાન અનેક વિક્રમો સર્જશે. તાપમાનના જૂના વિક્રમો તૂટે અને વધારે ગરમીના નવા રેકોર્ડ નોંધાય એવી પણ શક્યતા છે. તો વળી દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો.આઈએમડીના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ, કર્ણાટક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે. સરેરાશ કરતા ઉનાળાનું તાપમાન ઊંચુ નોંધાશે. રાતે પણ વધુ ગરમી વરતાશે. દેશમાં ગરમીની અત્યારથી જ શરૃઆત થઈ છે અને કેટલાક સ્થળોએ તાપમાન ૪૦ ડીગ્રી કરતા વધારે નોંધાયુ છે.હવામાન વિભાગની વિગતો પ્રમાણે હિટવેવની પણ શરૃઆત એપ્રિલની ૩જી તારખથી થશે. હિટવેવ ભારતમાં…
ભારતમાં સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા મનાતી ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ સરકાર સમક્ષ એક નવી માંગણી મુકી છે. તેમનુ કહેવુ છે કે, દેશમાં જ્યાં જ્યાં પણ મુગલો કે અંગ્રેજોના નામ પર રસ્તા છે તે તમામ રસ્તાઓના નામ બદલવામાં આવે.જે લોકોએ આ દેશ પર આક્રમણ કર્યુ હતુ અને જેમણે આ દેશને નુકસાન પહોંચાડ્યુ હતુ તેમના નામ રસ્તાઓ પર જોઈને તકલીફ થાય છે.નરેન્દ્ર ગિરીએ આગળ કહ્યુ હતુ કે, માત્ર સાધુ સંતોને તકલીફ થાય છે તેવુ નથી પણ આજના યુવાઓ પણ આ જોઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે.આઝાદી પહેલા દેશ સાથે ગદ્દારી કરનારાઓ અને ભારતીયો પર જુલમ કરનારાઓના નામ દેશના તમામ…
SURAT માં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે.પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે. ચૌદ દિવસ માટે સમગ્ર સેન્ટ્રલ મોલને બંધ કરાયો છે. મોલમાં 230 લોકોના ટેસ્ટ કરવામાં આવ્ય હતા જેમાંથી 17 લોકો કોરોના પોઝીટિવ મળી આવ્યા હતા. તમામ પોઝિટિવને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.સુરતમાં કોરોનાની વણથંભી રફ્તારમાં બુધવારે સિટીમાં ત્રણના મોત સાથે નવા ૬૦૨ દર્દી નોંધાયા છે. જ્યારે જીલ્લામાં ૧૪૨ મળી ૭૪૪ નવા કેસ સાથે કુલ આંક ૬૫ હજારને પાર થયો છે. બીજીતરફ સિટીમાં ૬૧૦ અને ગ્રામ્યમાં ૫૫ મળીને ૬૬૫ દર્દીએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત…
1 એપ્રિલ 2021થી રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુમાં મોંઘવારીનો તડકો લાગવાનું માનવામાં આવી રહ્યું છે. નવા નાણાકીય વર્ષ દૂધ, વીજળી, એસી, મોટરસાઇકલથી લઇ સ્માર્ટફોન અને હવાઈ સફર સુધી મોંઘી થઇ જશે. ઇલેક્ટ્રોનિક ઉપકરણના ભાવ પણ નવા નાણાકીય વર્ષમાં વધી જશે. આવો જાણીએ કે 1 એપ્રિલ 2021થી એવી કઈ-કઈ વસ્તુઓના ભાવ વધવા જઈ રહ્યા છે, જે સામાન્ય વ્યક્તિનું બજેટ બગાડી શકે છે.નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે દૂધના ભાવ વધવાના આસાર છે. આ જાણકરી ખેડૂતોએ આપી છે. દૂધના ભાવ 3 રૂપિયાથી વધી 49 રૂપિયા પ્રતિ લીટર કરવાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં ઘી, પનીર અને દહીં સહીત દૂધથી બનેલ વસ્તુઓના ભાવ વધી…
ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે. સેનામાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી અને હવાલદારની પોસ્ટ પર તૈનાત કરવાનો નિર્ણય 2017માં લેવાયો હતો.એ પછી ડિસેમ્બર 2019માં 101 મહિલાઓને તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી.હાલમાં બેંગ્લોર ખાતે કોર ઓફ મિલિટ્રી પોલિસીમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે.આ ટ્રેનિંગની શરુઆત જાન્યુઆરીમાં થઈ હતી.કુલ 61 વીકની ટ્રેનિંગ મહિલાઓએ લેવી પડશે.હાલમાં ભારતીય સેનામાં મહિલાઓની અધિકારીઓની પોસ્ટ પર નિમણૂંક થાય છે.જેની શરુઆત 1992માં થઈ હતી તે વખતે મહિલાઓ સેનાની ગણતરીની બ્રાન્ચમાં જ કામ કરી શકતી હતી અને શોર્ટ સર્વિસ કમિશન થકી જ…
પૃથ્વી પરની સીમાચિહ્ન સમાન ઘટના કહી શકાય તેમ પરગ્રહવાસીઓ(એલિયન)ની ખોજ માટે છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત અમેરિકા સ્થિત સંસ્થા ‘સર્ચ ફોર એકસ્ટ્રાટેરિસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ’ (સેટી) એ નેવાડા સ્ટેટના અફાટ રણ પ્રદેશમાંથી અંતે પરગ્રહ જેવો માનવી શોધી કાઢ્યો છે. વિશ્વના પાંચ દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની અને ઇટાલીના એસ્ટ્રો વિજ્ઞાાનીઓની બનેલી આ સંસ્થા આ પરગ્રહવાસીને અમેરિકાના સમય પ્રમાણે રાત્રે ૯.૩૦ વાગે અને ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સવારે ૧૦.૦૦ વાગે ત્યાંની ટીવી ચેનલ પર રજુ કરશે અને ભારત સહિત વિશ્વની ન્યુઝ ચેનલ્સ પર આ ઐતિહાસિક ઘટનાનું જીવંત પ્રસારણ કરશે. વિજ્ઞાાનીઓ આ પરગ્રહ માનવીના કદ, દેખાવ કે તે કઈ ભાષામાં વાતચીત કરે છે તેવું કંઇપણ કહેવાનો…