ઇન્ડોનેશિયામાં વર્ષ 2004માં આવેલી ત્સુનામીમાં અનેક લોકો ગુમ થયા અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા. આ આપત્તિમાં એક પોલીસ ઓફિસરને મૃત જાહેર કર્યો હતો પરંતુ 16 વર્ષ પછી તે જીવતો મળ્યો છે. આ ઘટના તેના પરિવાર માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. ત્સુનામીને લીધે મેન્ટલ બ્રેકડાઉન થતા તે છેલ્લા 16 વર્ષથી સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. એબ્રીપ એસેપના પરિવારે કહ્યું, ઇન્ડોનેશિયામાં ત્સુનામી આવી ત્યારે તે ઓન ડ્યુટી હતો. અઢી લાખ લોકોનાં મૃત્યુના સમાચાર સાંભળીને અમે ભાંગી પડ્યા હતા. એબ્રીપને શોધવાના ઘણા પ્રયત્નો કરી અર્પણ ક્યાંય તે મળ્યો નહિ. નસીબજોગે બે દાયકા પછી તેનો પરિવાર સાથે ભેટો થઇ ગયો. નરી આંખે ત્સુનામીની તારાજી જોતા…
કવિ: Dharmistha Nayka
જો તમે પણ તમારા બાળકોને શાંત અને મનાવવા માટે હાથમાં સ્માર્ટફોન આપી દો છો તો અલર્ટ થવાની જરૂર છે. સ્માર્ટફોન અને 2થી 3 વર્ષના બાળકોના બિહેવિયર પર અમેરિકામાં એક રિસર્ચ થયું છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ કહ્યું, બાળકોને ફોન આપવાની આદતથી તેઓ ક્રોધિત બની શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું, સ્માર્ટફોન પર કાર્ટૂન જોતા 2થઇ વર્ષના બાળકોના બિહેવિયર પર નજર રાખવામાં આવી. પેરેન્ટ્સને પણ પૂછવામાં આવ્યું કે, તેમના બાળકો કેટલા સમય સુધી સ્માર્ટફોન વાપરે છે. ટીવી, વીડિયો ગેમ્સ, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોનનો ઉપયોગ કેટલો કરે છે. સંશોધકોનાં જણાવ્યા પ્રમાણે, જે પેરેન્ટ્સે બાળકોનો ગુસ્સો રોકવા તેમને ગેજેટ્સ આપ્યા હતા અને પછી પરત લઇ લીધા તો ગુસ્સો પહેલાં…
સુરત શહેરના ઇચ્છાપોર મલગામા ગામના ખેતરાડી વિસ્તારમાં આવેલ ઝીંગા તળાવની પાસે જાહેરમાં જુગાર રમતા 13 ને પોલીસે રોકડ રૂપિયા 48 હજાર સાથે ઝડપી પાડયા છે. પોલીસે ગંજીપાના નંગ-103, 4 કાર, 14 મોબાઈલ મળી રૂપિયા 12,27,200ની મત્તાના મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે. ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ પ્રોહીબીએશન અને જુગારના કેસો શોધી કાઢવા અંગેની કરેલ સૂચના આધારે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર અને નરેન્દ્રસિંહ રણમલભાઇ બાબરીયાને મળેલી બાતમી આધારે પોલીસે મલગામા ગામ ખેતરાડી વિસ્તારમાં આવેલ ઝીંગા તળાવની પાસે રેડ પાડી તમામને પકડી પાડયા હતા. ઝડપાયેલા ઈસમો જાહેરમાં જુગાર રમતા હતા.પોલીસને જોઈ ભાગદોડ કરી…
આપણા દેશમાં દરેક જગ્યાએ મુફ્તમાં ઉપલબ્ધ છે. જો કે, બોટલમાં પાણીની કિંમત 20 રૂપિયા સુધીની છે. જો કે કેટલાક દેશોમાં આ ઘણી મોંઘી નેચરલ રિસોર્સ છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનું સૌથી મોંઘુ પાણી નોર્વેની રાજાની ઓસ્લોમાં વેચાય છે. અહીંયા એક લીટર પાણીની કિંમત 1.85 ડોલર એટલે કે 134 રૂપિયાની આસપાસ છે.પાણીની કિંમતોને લઈને Holidu દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેણે દુનિયાના 120 શહેરોમાં પાણીની કિંમતના આંકડા મેળવ્યાં હતાં. ઓસ્લો પછી અમેરિકાનું વર્જિનિયા બીચ, લોસ એન્જિલિસ, ન્યુ ઓરનિલ અને સ્વીડનનું સ્ટોકહોમ આવે છે. ઓસ્લોમાં ડબ્બામાં મળનારા પાણીની કિંમત 120 શહેરોની સરેરાશ કિંમતથી 212 ટકા વધારે છે. જ્યારે બોટલના પાણીની કિંમત 195…
વટવા GIDC ફેઝ-4ના મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં આગ લાગ્યા બાદ બોઈલર ફાટ્યું હતું. જેને પગલે આગ વિકરાળ બની છે. આગને પગલે અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદની તમામ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. કુલ 36થી વધુ ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી છે. મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઇલર ફાટ્યું છે જેથી ભીષણ આગ લાગી છે. અમદાવાદના વટવા GIDC ફેઝ 4માં આગ બાદ મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઈલર ફાટ્યું છે. જેને પગલે કેમિકલ પ્રોસેસ ચાલતી હોવાથી આગ વધુ ફેલાઈ રહી છે. જેને પગલે આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તથા આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યો છે.
આ સેક્ટરમાં સારી કમાણી છે. પરંતુ તેમાં તમારે ઘણી મહેનત કરવી પડે છે. જો તમે મહેનત કરવા માટે તૈયાર છો તો તમે સરળતાથી ડેરી સેક્ટરમાં પૈસા રોકી શકો છો અને સારો નફો પણ રળી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ સેક્ટરમાં બિઝનેશ શરૂ કરવા માટે તમને સરકારની પણ મદદ મળે છે. તેવામાં તમારે રોકાણ પણ ઓછું કરવું પડશે. જો તમે ડેરી સેક્ટરમાં બિઝનેશ શરૂ કરવા માંગો છો તો તમારી પાસે કોઈ ઓપ્શન છે. આમાંથી તમે કોઈ પણ ઓપ્શન અપનાવીને સરળતાથી બિઝનેશ કરી શકો છો. તેવામાં અમે તમને આ સેક્ટરમાં જોડાયેલા ત્રણ બિઝનેશ આઈડિયા આપી રહ્યાં છીએ.આ બિઝનેશમાં…
જો રસ્તામાં ચાલતા તમને પૈસા મળે છે તો તમારા આનંદનો પાર રહેતો નથી. પરંતુ શું તમે જાણો છો કે રસ્તા પર પૈસા મળવા એક ગહન રહસ્ય પણ હોય છે. રસ્તા પર મળતા પૈસાનું શું રહસ્ય છે તેના વિશે આવો જાણીએ.જ્યોતિષ શાસ્ત્ર મુજબ રૂપિયા મળવા અથવા ખોઈ દેવા બંનેનો કંઈક ને કંઈક અર્થ હોય છે. જો તમને ચાલતા રસ્તામાં ક્યાંક પડેલું ધન મળે છે તો એ કોઈ વાતનો સંકેત હોઈ શકે છે. માનવામાં આવે છે કે નીચે પડેલું ધન મેળવવું સફળતાનો સંકેત છે. આ દ્વારા ઈશ્વર એવું બતાવવા માગે છે કે તમે હવે સફળતા તરફ આગળ વધી રહ્યા છો. અને તમને…
રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, ‘રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે’ તેવો પણ નિર્ણય CM વિજય રૂપાણીએ કર્યો છે એમ શિક્ષણમંત્રી એ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ…
દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપી બન્યો છે. ગુજરાત અને અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસોને કારણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તો મહાનગરપાલિકાઓ પણ પોતાની રીતે કોરોનાને ફેલાતો રોકવા માટે પગલા ભરી રહી છે.આ જ કડીમાં અમદાવાદ મનપા દ્વારા નાઇટ કર્ફ્ય અને શનિ-રવિ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વીકેન્ડમાં મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્યણ કોરોનાનો ફેલાવો રોકવા માટે કરાયો છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે…
રાજ્યમાં સતત કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વધી રહ્યો છે. જેને ધ્યાને લઇને ફરીથી વિવિધ પ્રતિબંધ લાગુ થઇ રહ્યાં છે. રાજ્યમાં સૌથા વધારે કેસ સુરતમાંથી આવી રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. સુરતની દિવસે દિવસે હાલત…