હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર બગીચામાં જોવા મળે છે. ગણેશજીને દુર્વા અર્પણ કરવું ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. એકમાત્ર ગણેશજી એવા દેવ છે, જેના પૂજનમાં દુર્વાનો ઉપયોગ થાય છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે દુર્વા ને તેના મૂળથી તોડ્યા પછી પવિત્ર જળથી સાફ કરી 21 દુર્વાઓને ભેગી કરીને એક ગાંઠ બાંધી લેવી. અને ત્યારબાદ તેને પૂજાની થાળીમાં રાખવી. દુર્વા હ્યમૃતસંપન્ના શતમૂલા શતાકુરા | શતં પાતકસંહંત્રી શતમાયુષ્યવર્ધિની || પુરાણોમાં દંતકથા અનુસાર…
કવિ: satyadaydesknews
ગુજરાતી માં એક કહેવત છે કે રાઈ નો પહાડ કરવો. ક્યારેક કેટલાક વ્યક્તિ ઓ નજીવી બાબત ને ખૂબ જ મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. જે તેમના માટે જીવન ની સૌથી મોટી ભૂલ પણ બની જતી હોય છે. આવો જ એક બનાવ શહેરના નરોડા વિસ્તાર માં જોવા મળ્યો છે. નરોડા માં એકનાથ કોમ્પલેક્ષમાં ઓમકાર એસેસરી નામની દુકાન ધરાવતા હિતેશ પટેલે પોલીસ ફરિયાદ આપી છે કે શનિવારે સાંજ ના સમયે તેમની દુકાન પર એક ગ્રાહક સીટ કવર નખાવા માટે આવ્યો હતો. જેથી હિતેશભાઈ એ વિજય પાર્ક બાલાજી સીટ કવર નામની દુકાન ધરાવતા વિશાલભાઈ ને ત્યાંથી સીટ કવર મંગાવ્યા હતા. વિશાલભાઈનો કારીગર…
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ શ્રી ભારતી વલ્લભ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ ની બાજુમાં આવેલ સોસાયટી ના કોમન પ્લોટમાં જ પ્લાસ્ટિક નો સેડ બનાવી કામચલાઉ કોવિડ હોસ્પિટલ બનાવવા માં આવી હતી.જેને લઈને જ્યેશ્વર સોસાયટી અને એલ.આર. એપાર્ટમેન્ટ ના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધ થતા હોસ્પિટલ ના માલિક ડો.રામપ્રકાશ કોઠારી અને તેના પત્ની દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા. જાહેર આરોગ્ય નું ધ્યાન રાખ્યા વગર અને કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગતથી કોવિડ ના નિયમોને નેવે મૂકીને હોસ્પિટલ શરૂ કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.ત્યારે સમગ્ર ઘટનામાં તંત્ર ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે ફાયર સેફટી અને એન.ઓ.સી. વગર કોવિડ હોસ્પિટલ ચલાવવા…
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પુત્ર અને પુત્રવધૂએ માતાને વાળ ખેંચી ઢોર માર મારી ગાળો આપી હતી. સાસુએ વહુ પાસે ખેંચની દવા માંગી હતી. જે આપવાની વહુએ ના પાડી હતી. જેથી તેઓ દીકરીના ઘરે જતાં રહ્યાં હતાં. પરત આવતા વહુએ આ તમારું ઘર નથી જતાં રહો એમ કહ્યું હતું. નવરંગપુરા પોલીસે માતાની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધૂ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નવરંગપુરા મ્યુનિસિપલ સરકારી ક્વાટર્સમાં રહેતા શાંતાબેન દંતાણીયા તેમના પુત્ર જગદીશ અને પુત્રવધૂ કર્મીતા સાથે રહે છે. 20 ઓગસ્ટના રોજ રાતે શાંતાબેને કર્મીતા પાસે ખેંચની દવા માંગી હતી. જે દવા આપવાની તેણે ના પાડી હતી. જેથી શાંતાબેન ઘાટલોડિયા…
અમદાવાદ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસ 160થી 170ની આસપાસ આવી રહ્યાં છે. ત્યારે ગઈકાલે શહેર અને જિલ્લામાં કુલ 179 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 167 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 29,841 થયો છે. જ્યારે 24,735 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને મૃત્યુઆંક 1,677 થયો છે. આમ છેલ્લા 13 દિવસથી દૈનિક મૃત્યુ પાંચથી ઓછા રહ્યા છે. છેલ્લે 8 ઓગસ્ટે 5 દર્દીના મોત થયા હતા. 20 ઓગસ્ટની સાંજથી 21 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 156 અને જિલ્લામાં 23 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં…
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બેરલમાર્કટ પાસે વરસાદી પાણી ભરાયેલા તળાવમાં 2 કિશોરો ડૂબી ગયા હતા. બંનેના મોત થયા છે. સ્થાનિકોએ બંનેને તળાવમાંથી કાઢીને મણીનગરની એલજી હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત ઘોષિત કર્યા હતા. હોસ્પિટલ સંકુલમાં બંને કિશોરોના પરિવારે ભારે આક્રંદ કર્યું હતું. દાણીલીમડા બેરલ માર્કેટ પાસે આવેલા બિસ્મિલ્લા નગરની આસપાસના રહેવાસી અર્શદ અને રેહાન આજે બપોરના સમયે નવા બનતા પંમ્પિંગ સ્ટેશન પાસે પાણી ભરાયું હતું તેમ નાહવા પડ્યા હતા. જેમાં અંદર કાદવ હોવાથી ડૂબવા લાગ્યા હતા અને પાણી પી ગયા હતા. સ્થાનિક લોકોએ તેને બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડ્યા પરંતુ બંનેના મોત થયા હતા. દાણીલીમડા…
વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 2 કરોડ 31 લાખ 41 હજાર 122 કેસ નોંધાયા છે. તેમા 8 લાખ 3 હજાર 551 લોકોના મોત થયા છે. 1 કરોડ 57 લાખ 27 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. ઈટાલીની હેલ્થ મિનિસ્ટ્રી ફરી એકવાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઓસ્ટ્રલિયામાં સંક્રમણના બીજા તબક્કાની અસર ઓછી થઈ રહી છે. વિક્ટોરીયાના ચીફ હેલ્થ ઓફિસર બ્રેટ સટને કહ્યું હતું કે અમે સઘન ઉપાયો કર્યા હતા. હવે તેના પરીણામ મળવા લાગ્યા છે. બે દિવસથી સતત નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. શુક્રવારે નવા દર્દીઓની સંખ્યા 200થી નીચે રહી છે. અહીં…
સુરત શહેરના 22મા પોલીસ કમિશનર તરીકે અજય તોમરે 3 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. 3થી લઈને 20 ઓગસ્ટ સુધી સ્પેશિયલ ડ્રાઈવ યોજી સપાટો બોલાવવામાં આવ્યો હતો. જેમાં 2 મોટા કોલ સેન્ટર, 1 ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ-જુગારના 2009 આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. સુરતના નવા પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી અસામાજીક તત્વો અને ગુનેગારો સામે સ્પેશિયલ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દારૂના ગુનામાં કુલ 1286 કેસમાં 1308 આરોપીઓની 68.24 લાખ સાથે ઝડપાયા છે. લિસ્ટેટ બૂટલેગર પંકજ ધનસુખભાઈ રાણા સામે કુલ 3 કેસ અને કલ્પના જીતુભાઈ પટેલની સામે…
અમદાવાદમાંથી હાલ એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે દુ:ખદ નિધન થયું છે. તેમના અવસાન પર દેશના પીએમ મોદીએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!. પીએમ મોદી બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પણ પૂર્વ મેયર પ્રફૂલ બારોટના અવસાન થતા ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપીને દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ વિજય રૂપાણીએ પણ લખ્યું છે કે, ‘અમદાવાદના પૂર્વ મેયર…
લદ્દાખની ગલવાન ખીણમાં સીમા વિવાદ પછી ભારત તરફથી ચીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભારતીય રેલવેએ 44 સેમી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન બનાવવાનું ટેન્ડર જાહેર કર્યું હતું. આ ટ્રેનોને બનાવવા માટે ભારતીય કંપનીઓ સાથે એક ચીની કંપની પણ હરાજી લગાવવામાં સામેલ હોવાના કારણે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ ટ્વિટ કરીને શુક્રવારે મોડી રાતે ટેન્ડર રદ કરવાની માહિતી આપી છે. આ ટ્રેનોના નિર્માણ માટે એક સપ્તાહમાં નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. આ નવા ટેન્ડરમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવશે. રેલવેએ હાલના ટેન્ડરને રદ કરવા માટેનું કોઈ ઓફિશિયલ કારણ નથી જણાવ્યું. આ ટ્રેનોના નિર્માણ…