અંકલેશ્વરમાં અબોલી રોડ પર બાઈક ઉપર સવાર થઇ એક યુવાનને દોડાવી દોડાવી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વરમાં બાઇક પર સવાર એક યુવાનને દોડાવી દોડાવી માર માર્યો પિઝા ખાવા ગયેલ યુવાનને માર મારતા પોલિસ ફરિયાદ નોંધાઈ મારામારી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી પિઝા ખાવા ગયેલ યુવાનને માર મારતા પોલિસ ફરિયાદ નોંધાઈ અંકલેશ્વરના તુલસી સ્ક્વેરથી એશિયાડનગર વચ્ચે આંબોલી રોડ પર અગાઉના ઝઘડાની રીસ રાખી ચાર ઇસમોએ બે બાઇક ઉપર સવાર થઇ એક યુવાનને દોડાવી દોડાવી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ અંકલેશ્વરના પંચાટી બજાર વિસ્તારના મેવાડા ફળિયાની નીચલી ખડકીમાં રહેતા…
કવિ: satyadaydesknews
અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન ધમકીના મામલે મધ્યપ્રદેશથી કરાયેલી બેની ધરપકડ બાદ સાયબર ક્રાઈમને વધુ એક સફળતા હાથ લાગી છે. ગાઝિયાબાદ સુધી તપાસ થતા વધુ બે લોકોની ધરપકડ સાથે સિમકાર્ડ પ્રાપ્ત થયા છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ટેસ્ટ ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. મેચ પહેલા ખલેલ પહોંચાડવાનું આરોપીઓનું કાવતરું હતું. જેમાં ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નુનાં અવાજમાં અનેક લોકોને ફોન કરાયા હતા. વોઈસ મેસેજ વાયરલ પણ કરાયો હતો. 3 સિમ બોક્સમાં 50 સિમકાર્ડ મળ્યા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અગાઉ રમાયેલી ટેસ્ટ મેચમાં ખાલિસ્તાની આતંકી ધમકીના કેસ મામલે સાયબર ક્રાઈમની ટીમને વધુ 3 સિમ બોક્સ મળ્યા છે. સાયબર ક્રાઈમને ગાઝિયાબાદમાંથી આ…
આપના નેતાઓ તોફાની છે અમે તેમની સાથે ડીબેટ કરવા ઈચ્છતા નહોતા અને જો હું પણ જિલ્લાના કાર્યકરો અને મીડિયા વચ્ચે ડીબેટ કરવા માટે હું તૈયાર છું. એમ બીજેપી નેતા મનસુખ વસાવાએ કહ્યું હતું.નર્મદા જિલ્લાનું રાજકારણ ધારાસભ્ય અને એમપીને લઈને ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આપ નેતા ચૈતર વસાવા અને મનસુખ વસાવાની આજે ડીબેટ થાય તેવી શક્યતા હતી પરંતુ તંત્ર તરફથી જાહેરમાં તેની મંજૂરી આપવામાં આવી નહોતી. છેવટે ડીબેટ મોકુફ રહેતા મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું હતું. .ધારાસભ્ય ચૈતર વસાવા અને એમપી મનસુખ વસાવા વચ્ચેની નર્મદામાં યોજાનાર ડીબેટ આજે મોકુફ રાખવામાં આવી છે. તમામ કાર્યકરો વચ્ચે ડીબેટ થાય તેવી શરત…
IPL 2023 ની ત્રીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. IPL 2022માં ડેબ્યૂ કરનાર લખનઉ સુપર જાયન્ટ્સ ગત સીઝનમાં શાનદાર લયમાં જોવા મળી હતી. ટીમ આ સીઝનની પ્રથમ મેચ જીતીને પોતાનું ફોર્મ જાળવી રાખવા માંગશે. આ મેચમાં બંને ટીમો કઈ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે તે જોવાનું રહેશે. આવો જાણીએ આ મેચ સાથે જોડાયેલી તમામ વિગતો. પિચ રિપોર્ટ લખનઉ અને દિલ્હી વચ્ચેની આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. T20ની વાત કરીએ તો…
રણધીર કપૂરે દીકરી કરિશ્માના એક્સ હસબન્ડને કહ્યું- થર્ડ ક્લાસ મેન, એક્ટ્રેસે પણ લગાવ્યા અનેક આરોપ!બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પોતાના અંગત જીવનમાં હંમેશા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ છે. પહેલા અભિષેક બચ્ચન સાથે તેની સગાઈ તૂટી ગઈ. ત્યારબાદ તેણે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા પરંતુ આ સંબંધ પણ ટકી શક્યો નહીં. લગ્નના લગભગ 13 વર્ષ પછી કરિશ્માએ સંજયને છૂટાછેડા આપી દીધા હતા પરંતુ તેની પ્રક્રિયા પણ કરિશ્મા માટે ખૂબ જ પરેશાનીભરી હતી. કરિશ્માએ સંજય પર દહેજ માટે ઉત્પીડનથી લઈને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. બદલામાં સંજયે કરિશ્મા પર અનેક આરોપો લગાવ્યા હતા. આરોપ-પ્રત્યારોપના અનેક રાઉન્ડ બાદ 2016માં કોર્ટે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી…
મોડાસા પાલિકા વિસ્તારમાં માર્ચ માસ દરમિયાન રૂપિયા 5.70 કરોડનો ટેક્સ વસૂલાતાં પાલિકામાં 71% ટેક્સની વસૂલાત થઈ હોવાનું નોંધાયું છે. મોડાસા પાલિકાએ ગુરૂવારે એક જ દિવસમાં 5 લાખ ટેક્સ વસૂલ કર્યો હતો. મોડાસા પાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા લોકોને તા. 31 માર્ચ સુધીમાં ટેક્સ ભરનાર મિલકત ધરાવતા માલિકને સો ટકા વ્યાજ માફી આપવાની યોજનાના છેલ્લા દિવસે પાલિકાના કુંજનભાઈ પટેલે જણાવ્યું હતું. પાલિકા દ્વારા રૂપિયા 7.92 કરોડ ટેક્સની વસૂલાત સામે માર્ચ મહિના દરમિયાન 5.70 કરોડની વસૂલાત કરી હતી. માર્ચ દરમિયાન શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટેક્સ ન ભરતા લોકોના 15 કરતાં વધુ નળ કનેક્શન કાપ્યા હતા અને 20 કરતાં વધુ મિલકતો સીલ…
રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. ઘણાં સમયથી કલેક્ટરની બદલીની અટકળો ચાલતી હતી ત્યારે રાજ્યના કલેક્ટર, સચિવો સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલીનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીણાની ગાંધીનગર ખાતે બદલી થઈ છે તો તેમની સામે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પ્રશસ્તિ પરિક અરવલ્લી જિલ્લાના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે, તો એસ.જે.હૈદરને ખાણ અને ખનીજ વિભાગના ACS અને મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર મુખ્ય સચિવ બનાવાયા છે. રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી કરાઈ છે. રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ છે. પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.…
કોરોનાથી ડરવાની જરુર નથી કોરોના એક જીવનનો એક ભાગ છે. તેમ રાજકોટમાં કોરોના મામલે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કોરોનાના કેસોમાં જોવા મળી રહેલી વધઘટને લઈને આરોગ્ય મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. કોરોનાથી ડરવાની જરુર નથી તેમ ઋષિકેશ પટેલે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરુર છે તેમ તેમણે સજેશન આપ્યું હતું.વેક્સિનને લઈને પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી. વેક્સિનના જથ્થાની માંગણી કેન્દ્ર પાસેથી માંગી છે…
Long Nails Side Effect: ફેશનમાં લાંબા નખ રાખવા ખતરનાક છે, આ રોગોનું જોખમ વધશેનાનપણમાં જો આપણે નખ ન કપાવતા તો માતા-પિતા, વડીલો કે શિક્ષકો આપણને ખૂબ ઠપકો આપતા, કારણ કે નખ કાપવા એ સ્વચ્છતાની નિશાની માનવામાં આવે છે. ફેશનના આ જમાનામાં છોકરીઓ પોતાના નખને લાંબા કરવાનો શોખીન હોય છે, જેથી નેલ પેઈન્ટ લગાવીને તેઓ બીજા કરતા અલગ દેખાઈ શકે, પછી ભલેને તેના કારણે તેમને સામાન્ય કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આજકાલ કૃત્રિમ નખનો ટ્રેન્ડ પણ ઘણો વધી ગયો છે, પરંતુ લાંબા નખ આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી.લાંબા નખને કારણે રોગો ફેલાય છેઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે…
અંકલેશ્વરમાં આવેલ રાધાક્રિષ્ના હોટલના બોરવેલમાંથી ૯૦ હજારના રોડ લાઈનના લોખંડના ટુકડાની ચોરી કરી તસ્કરો ફરાર અંકલેશ્વરની રાધા ક્રિષ્ના હોટલના કમ્પાઉન્ડમાંથી લોખંડના ટુકડાની ચોરી કેસરી ફરાર ૯૦ હજારના રોડ લાઇનના લોખંડના ટુકડાની ચોરી કરી તસ્કરો ફરાર કમ્પાઉન્ડમાંથી બોરવેલના સામાનમાંથી લોખંડના ટુકડાની ચોરી અંકલેશ્વર શહેર બી ડીવીઝનના પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. અંકલેશ્વર હાઇવે ઉપર મોતાલી પાટિયા સામે આવેલ રાધા ક્રિષ્ના હોટલના કમ્પાઉન્ડમાંથી બોરવેલના સામાનમાંથી ૯૦ હજારના રોડ લાઇનના લોખંડના ટુકડાની ચોરી કરી તસ્કરો કરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ સદભાવના સોસાયટીમાં રહેતા હમીર રામ ગોજીયા બોરવેલનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે…