વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ અને ડિગ્રી પર સવાલ ઉઠાવનાર અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની અનુસ્નાતકની ડીગ્રી અંગે માહિતી માંગવામાં આવી હતી. પીએમ મોદીની ડીગ્રી જાણકારી મામલે કેજરીવાલને દંડ હાઈકોર્ટે ફટકાર્યો છે. રુ. 25 હજાર નો દંડ ફટકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અરવિંદ કેજરીવાલે ફરીથી પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગને કેજરીવાલને ડીગ્રી આપવાનો આદેશ પણ રદ કરવામાં આવ્યો છે. કેજરીવાલને આ રકમ ગુજરાત કાનૂની સેવાઓમાં જમા કરાવવા આદેશ કર્યો છે. સાત વર્ષ પહેલા અરવિંદ કેજરીવાલે RTI અરજી કરીને PM મોદીની…
કવિ: satyadaydesknews
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવેલ ૩૦૦ વર્ષ જૂની ઐતિહાસિક વાવ આજે પણ લોકો માટે ઉપયોગી છે. ગ્રામજનો માટે ઐતિહાસિક વાવ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. આજે પણ આ વાવનું પાણી ખૂબ જ ઠંડુ અને મીઠું છે ત્યારે ઐતિહાસિક ધરોહર એવી વાવની જાળવણી થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.હથુરણ ગામે આવેલ ઐતિહાસિક વાવ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વાવના માત્ર પાંચ દાદર ઉતારીને ગ્રામજનો શીતળ અને મીઠું પાણી મેળવી રહ્યા છે. ગ્રામજનોને આ પૌરાણિક વાવના પાણીની જ આદત પડી ગઈ છે. આજે પણ રોજ સવારે ગામની મહિલાઓની વાવના પાણી માટે કતારો લાગે છે,ત્યારે આ વાવ નષ્ટ નહી…
Jaggery And Ghee Benefits: સારા સ્વાસ્થ્ય માટે આપણે દરરોજ નિયમિતપણે હેલ્ધી ડાયટ લેવી જોઈએ, તો જ આપણે આંતરિક રીતે મજબૂત બનીશું અને રોગોથી સુરક્ષિત રહીશું. જો ખોરાક હેલ્ધી ન હોય તો સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી બીમારીઓનો ખતરો રહે છે. આપણા માટે ત્રણેય સમયનું ભોજન આરોગ્યપ્રદ હોવું જોઈએ, પરંતુ આપણે જમ્યા પછી શું ખાવાનું પસંદ કરવુ જોઈએ તેનો પણ વિચાર કરવો પડશે. કેટલાક લોકો વરિયાળી અથવા કોઈપણ માઉથ ફ્રેશનર ચાવવાનું પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો મીઠી વસ્તુઓ પસંદ કરે છે.જમ્યા પછી ગોળ અને ઘીનું સેવનગોળ અને ઘીમાં મળતા ન્યૂટ્રિઅન્ટ્સઆપણી વચ્ચે ભાગ્યે જ કોઈ…
Beginner cooking tips: શું તમે હજુ રસોઈ શિખી જ રહ્યાં છો, ચિંતા કરશો નહીં! આ ટિપ્સ તમારા માટે કામ આવશે…રસોઈ બનાવવી એ પોતાનામાં ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, ખાસ કરીને નવા નિશાળીયા માટે કે જેઓ હમણાં જ રસોડામાં શરૂઆત કરી રહ્યાં છે. જો કે યોગ્ય તકનીકો અને ટીપ્સ સાથે કોઈપણ વ્યક્તિ પોતાની રીતે માસ્ટર શેફ બની શકે છે. ત્યારે આજે અમે તમને રસોઈ માટે કેટલીક આવશ્યક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક શિખાઉ માણસને જાણવી જ જોઈએ.તમે રાંધવાનું શરૂ કરો તે પહેલાં હંમેશા રેસીપીને સારી રીતે વાંચો. આ તમને સામેલ પગલાઓને સમજવામાં મદદ કરશે અને ખાતરી કરશે કે તમારી…
JanDhan Account: જો તમે જન ધન ખાતું ખોલાવ્યું છે તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે જનધન ખાતાધારકોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવાનો લાભ આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માહિતીના અભાવે સુવિધાનો લાભ લઈ શકતા નથી. આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ તમે દર મહિને પેન્શન મેળવવાનો લાભ મેળવી શકો છો. જનધન ખાતા ધારકને પણ આ યોજનાનો લાભ મળે છે. કેટલાક જરૂરી દસ્તાવેજો પછી તમે 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે હકદાર થઈ જાવ છો.નહીં સતાવે વૃદ્ધાવસ્થાની ચિંતાહકીકતમાં 18 થી 40 વર્ષની વચ્ચેના આર્થિક રીતે નબળા લોકો માનધન યોજનાનો લાભ લઈ શકે છે. જીવનના…
માળિયા નેશનલ હાઈવે પર એસટી બસ અને ટ્રેઇલર અથડાયા, બસના ડ્રાઈવર-કંડકટરને ઈજા કચ્છ-માળીયા નેશનલ હાઇવે પર એસટી બસ અને ટ્રેઇલર અથડાતા અકસ્માતની ઘટના બની હતી જે અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે એસટી બસના ચાલકે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે સાવરકુંડલાના રહેવાસી કપિલભાઈ દીલુભાઈ ખુમાણ (ઉ.વ.૩૫) રાજુલા ડેપોમાં નોકરી કરતા હોય જેઓ રાજુલા ડેપોની એસટી બસ જીજે ૧૮ ઝેડ ૨૧૬૧ રાજુલા ભુજ પાટે ચાલતા હોય છે જેમાં ગત તા. ૨૯ માર્ચના રોજ સાંજના ભુજ જવા નીકળ્યા હતા અને બસ ભુજથી અંજાર, આદિપુર, ગાંધીધામ થઈને માળિયા તરફ આવતી હોય ત્યારે…
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં વધુ એક મુદત પડી, હવે ૧૫ એપ્રિલે સુનાવણી થશે આરોપી જયસુખ પટેલ કોર્ટમાં હાજર રહ્યા મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં કોર્ટમાં આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી જે પુરક ચાર્જશીટ રજુ થયા જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટે તા. ૩૧ માર્ચની મુદત આપી હોય જેથી આજે ફરીથી આરોપી જયસુખ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને વધુ સુનાવણી તા. ૧૫ એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા બાદ પોલીસે તુરંત ઓરેવા ગ્રુપના મેનેજર સહીત ૯ આરોપીને ઝડપી લીધા હતા અને ત્રણ માસ…
દેશના ૧૦૦ સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના સમાવેશને ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા આવકારવામાં આવ્યો અપનાવીને કાર્યકરોને ઉર્જાથી પ્રેરીત કર્યા હતા. ચૂંટાઇ આવેલ. શ્રી સી.આર.પાટીલજી તેમના મત વિસ્તારમાં મજબૂત સંગઠન શક્તિને કારણે તેઓને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જુલાઇ ૨૦૨૦ માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપેલ. શ્રી સી.આર.પાટીલને પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. કાર્યકરોને સતત નવું માર્ગદર્શન આપતા રહેવું. તેમજ પેજ સમિતિના શસ્ત્રથી તમામ ચૂંટીઓ, જેમકે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવેલ અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યાં છે, જેનો…
એક પત્ર પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો શરૂ થયા બાદ ગુજરાતમાં આદિવાસી રાજકારણ એક પડકાર પર પહોંચી ગયું છે. AAP ધારાસભ્યની ચર્ચાના પડકાર પર બીજેપી સાંસદે પલટવાર કર્યો છે અને સ્થળ અને સમય નક્કી કર્યો છે. ભાજપના નેતાનું કહેવું છે કે તેઓ કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. ભાજપના સાંસદ ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવાને પડકારતા એપીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી. ચૈતર વસાવાએ ભાજપના સાંસદ મનસુખ વસાવાને ખુલ્લો પડકાર આપ્યો હતો. ગુજરાતમાં ચૂંટણીઓ વિધાનસભાની પૂર્ણ થઈ છે પરંતુ નર્મદામાં ચૂંટણી જેવો માહોલ બે નેતાઓ વચ્ચે જોવા મળી રહ્યો છે. આ મુદ્દે નર્મદા જિલ્લાનું રાજકારણ એમપી અને ધારાસભ્ય વચ્ચે ગરમાયું છે. આમ આદમી…
નવી દિલ્હી IPL ની પ્રથમ મેચ શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ (GT vs CSK) વચ્ચે રમાશે. આ મેચ પહેલા ચેન્નઈ કેમ્પ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે માહીના ઘૂંટણમાં ઈજા થઈ છે. જેના કારણે તે ગુરુવારે પ્રેક્ટિસ સેશનનો ભાગ પણ બન્યો ન હતો. આવી સ્થિતિમાં સીએસકેનો કેપ્ટન પ્રથમ મેચ દરમિયાન ઉપલબ્ધ રહેશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આઈપીએલની છેલ્લી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આ જ કારણ છે કે આ વખતે ફ્રેન્ચાઈઝી કોઈ ભૂલ કરવા માંગતી…