Bollywood Actress: આ સુપરસ્ટારની બહેનનું ફિલ્મી કરિયર થંભી ગયું, તેણે વ્યક્ત કરી વ્યથા – હું ઈચ્છું છું દિવ્યા…!બોલિવૂડ ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’માં વિવેક ઓબેરોયની હિરોઈન બનેલી કાયનાત અરોરા પવનના ઝાપટાની જેમ ફિલ્મી દુનિયાનો ભાગ બની ગઈ અને પછી પવનની જેમ દેખાતી બંધ થઈ ગઈ. જ્યારે કાયનાત અરોરા બોલિવૂડનો ભાગ બની… ત્યારે તેના ખભા પર સ્ટારડમનો ઘણો બોજ હતો કારણ કે તે સંબંધમાં પીઢ અભિનેત્રી દિવ્યા ભારતીની પિતરાઈ બહેન છે. દિવ્યા ભારતીની બહેન હોવાને કારણે, લોકો કાયનાત અને દિવ્યાની સરખામણી કરવા લાગ્યા, જેના કારણે કૈનાત પર ઘણું દબાણ આવ્યું.કાયનાતને ન મળ્યું સ્ટારડમ!Kainaat Arora (Kainaat Arora Movies) એ ‘ગ્રાન્ડ મસ્તી’ સાથે ડેબ્યુ કર્યા…
કવિ: satyadaydesknews
Redmi Note 12C, Redmi Note 12 4G: ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomiએ ભારતમાં નવો બજેટ સ્માર્ટફોન Redmi Note 12 અને Redmi 12C લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોન 4G છે. આપને જણાવી દઈએ કે કંપનીએ અગાઉ Redmi Note 12 5G વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. હવે તેનું 4G વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.Redmi 12Cના બેઝ મોડલની કિંમત 8,999 રૂપિયા છે. તેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. જ્યારે બીજા મોડલમાં 6GB રેમ સાથે 128GB સ્ટોરેજ છે. તેની કિંમત 10,999 રૂપિયા છે.Redmi Note 12 4Gની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે. બેઝ વેરિઅન્ટમાં 6GB રેમ સાથે 64GB સ્ટોરેજ છે, જ્યારે 6GB + 128GB…
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ના પ્રાગટ્ય ઉત્સવ ની જુનાગઢ માં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ઉપરકોટ સ્થિત રામજી મંદિરથી આરતી કર્યા બાદ ચાંદીની પાલખીમાં ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા શરૂ થઈ હતી શોભાયાત્રા 47 પ્લોટ્સ જોડાયા હતા ત્યારે આ પ્લોટ્સ તેમજ પ્રથમ વખત તો જ શોભાયાત્રામાં સામેલ નાશિક ઢોલનું ત્રસા અને શરણાઈ સાથે કર્ણ પ્રિય સુર ેલા તું યુનિક બેન્ડ રામ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શોભાયાત્રા ના સમીર નાના બાળકો સહિત તમામરામ ભક્તો બુલંદ અવાજથી લગાવેલ જય શ્રી રામના નારાથી જૂનાગઢના માર્ગો ગુંજી ઉઠ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી જેનું ભવ્યતાથી સ્વાગત કરવામાં…
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ઉમિયા માતાજી મંદિરમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે આઠમનો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા. મિની ઉંઝા ઉમિયા મંદિર તરીકે ઓળખાતા મોડાસાના ઉમિયા મંદિરે ચૈત્ર નવરાત્રીના અઠમના દિવસે યજ્ઞનું આયોજન થયું, જેમાં યજમાન પદે પટેલ ઇશ્વરભાઇ કાનજીભાઈ તથા સર્વ દર્શનાર્થીઓ તથા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ દિનેશભાઈ તથા અંબાલાલભાઈ મંત્રી તથા ઉપપ્રમુખ પ્રભુદાસભાઈ તથા સહમંત્રી અંબાલાલભાઈ તથા સર્વ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી નિમિત્તે નિત્ય ચંડીપાઠ તથા માતાજીની પુજા અર્ચના કરવામાં આવી હતી તથા સૌ ભાવિક ભક્તોને મહંત શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજે ચૈત્ર નવરાત્રી નિમિત્તે આશીર્વાદ અર્પણ…
Healthy Food : પેટની તમામ સમસ્યાઓ માટે મૂળાની ચટણી છે ઈલાજ, આ રીતે તૈયાર કરો…Healthy Food : મૂળા એ એક સુપરફૂડ છે જે સારી માત્રામાં પાણીથી ભરપૂર છે. લોકો સામાન્ય રીતે સલાડ, પરાઠા કે ભુજિયા બનાવીને મૂળા ખાવાનું પસંદ કરે છે. એટલા માટે આજ સુધી તમે મૂળા અને મૂળાની ઘણી વાનગીઓ ખાધી હશે. પણ શું તમે ક્યારેય મૂળાની ચટણી ટ્રાય કરી છે? જો નહીં, તો આજે અમે તમારા માટે મૂળાની ચટણી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. મૂળાના સેવનથી તમારી બ્લડ સુગર જળવાઈ રહે છે. આટલું જ નહી, મૂળાના સેવનથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે… મૂળાની ચટણી કર્ણાટકનો લોકપ્રિય ખોરાક છે.…
EPFO: નોમિનીને સામાન્ય રીતે જીવન વીમા પૉલિસીઓ, બેંક એકાઉન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, પ્રોવિડન્ટ ફંડ્સ અને અન્ય ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ પર આપવા જરૂરી છે. નોમિની બનવાથી, તમારી સંપત્તિ અને ઇન્વેસ્ટમેન્ટ તમારા મૃત્યુ પછી તમારા પસંદ કરેલા બેનિફિશિયરીને જાય છે. EPFO એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં નોમિનીનું નામ આપવું ફરજિયાત છે. EPFO એ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે, જે ભારતમાં સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે ભવિષ્ય નિધિ, પેન્શન અને વીમા યોજનાઓનું સંચાલન કરે છે.નોમિની બનાવવી શા માટે જરૂરી છે?EPF યોજના હેઠળ, કર્મચારી અને એમ્પ્લોયર પીએફ એકાઉન્ટમાં કર્મચારીના મૂળભૂત પગારની ચોક્કસ ટકાવારીનું યોગદાન આપે છે. પીએફ એકાઉન્ટમાં જમા…
મોરબીના મહેન્દ્રનગર ગામે શોભાયાત્રામાં રથમાં બેસવા બાબતે બોલાચાલી, ૧૩ ઈસમોએ મારામારી કર્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસે ત્રણ અજાણ્યા સહીત ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધી રામનવમી પર્વ નિમિતે ઠેર ઠેર ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહેન્દ્રનગર ગામે આયોજિત શોભાયાત્રામાં રથમાં બેસવા બાબતે એક ઇસમેં બોલાચાલી કર્યા બાદ ૧૩ જેટલા આરોપીઓએ યુવાન સાથે મારામારી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રાજેશભાઈ મનસુખભાઈ શેરશીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રામનવમી નિમિતે ગ્રામજનોએ રામ ભગવાનની શોભાયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું જેમાં ફરિયાદી રાજેશભાઈ અને ગામના આગેવાનો મુખ્ય આયોજક હતા અને શોભાયાત્રા હનુમાનજી મંદિરથી નીકળી હતી જેમાં મોટી…
વડોદરામાં પથ્થરમારો કરનાર સામે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યો છે. આ મામલે બીજીવાર આ પ્રકારનું છમકલું ના કરી શકે તે હેતુથી મોટી કાર્યવાહી કરી શકે છે. બુલડોઝર એક્શન પણ લઈ શકે તેવી શક્યતાઓ છે. વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર પથ્થરબાજોની ઓળખ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો બાદ ગઈકાલે શાંતિ ડહોળાઈ હતી ત્યારે અત્યારે વડોદરામાં મોટો પોલીસનો કાફલો તૈનાત છે. શહેરમાં હાલની સ્થિતિએ શાંતિ છે. જો કે, ગઈકાલે વડોદરાના બે વિસ્તારોમાં રામનવમી પર ધાર્મિક શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગઈકાલે ગૃહમંત્રીએ પણ તાબતોડ બેઠકો બોલાવીને આ મામલે કેટલાક આદેશ આપ્યા હતા. ત્યાર બાદ એક…
ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ સાબરમતી જેલમાં લવાયેલા અતિકની તબિયત નાદૂરસ્ત થતા તેનો કોરોના રીપોર્ટ કરવામાં આવશે, જો કે, તેને જેલમાં ક્વોરન્ટાઈન પણ કરવામાં આવશે. અતીકને પહેલેથી જ ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હાઈપરટેન્શન જેવી બીમારીઓ પણ છે આ કારણે તે ત્યાં ઘણી દવાઓ પણ લે છે. પ્રાપ્ત વિગતો અનુસાર અતિકનો કોરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. નેગેટિવ આવવા પર, અતીકને સીધો જ હાઈ સિક્યોરિટી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અતિક પર પ્રથમ વખત સજા સંભળાવવામાં આવી છે આ પહેલા પણ અનેક ફરીયાદો અતિક મામલે થઈ ચૂકી છે ત્યારે તેના માટે નિયમો પણ બદલાશે. પ્રયાગરાજથી લાવ્યા બાદ થયો હતો બેભાન પ્રયાગરાજ બાદ સાબરમતી…