નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમમના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં કોરોનાના મૃત્યુના આંકડાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યુ છે. જેના લીધે ઘણી વખત મૃત્યુઆંકમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં 26 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 29,689 કેસ નોંધાયા છે. તે ઉપરાંત કોરોના સંક્રમણથી વધુ 415 લોકોના મોત થયા છે. આ દરમિયાન સારવાર બાદ 42,363 લોકો કોરોના વાયરસતી મુક્ત થયા છે. આ સાથે ભારતમા કોરોના સંક્રમણ બાદ સાજા થયેલા લોકોની સંખ્યા 3,06,21,469 છે. દેશમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા હાલ 3,98,100 છે અને…
કવિ: Satya Day
ઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડ્યા હતા અને તેના લીધે થોડીક વાર ભાગદોડ મચી ગઇ હતી જો કે સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. જો કે મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે ભાગદોડ જેવો માહોલ સર્જાતા અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે. મંદિરની અંદર ઉપલબ્ધ લોકોના કહેવા અનુસાર, મંદિરમાં દર્શન કરવા માટે આવેલા વીઆઇપી લોકો સાથે મંદિરમાં ભીડ ઉમટી પડતા સ્થિતિ નિયંત્રણથી બહાર થઇ ગઇ હતી. શ્રાવણ મહીનાના પ્રથમ સોમવારના રોજ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી સહિત અનેક વીઆઇપી લોકો દર્શન કરવા મંદિરમાં આવ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે ઉત્તર ભારતમાં રવિવારથી પવિત્ર શ્રાવણ…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને પોતાની માટે અવસરમાં બદલી દીધી છે. મોદી સરકારે પાછલા વર્ષે કોરોના સંકમણના લીધે વધતા દબાણને કારણ પોતાના સ્ટાફને ચૂકવાતા ડીએર/ડીઆરનો ત્રણ હપતો અટકાવી દીધો હતો. કેન્દ્ર સરકારને તેનાથી 34,402.32 કરોડ રૂપિયાની બચત થઇ છે. લોકસભામાં રાજ્ય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબમં આ માહિતી આપી છે. ચૌધરીએ કહ્યુ કે, કોરોના સંક્રમણ જેવા સંકટને લીધે પાછલા વર્, મોદી સરકારે પોતાના કર્મચારીઓનો ડીએ અને ડીઆર રોકવાનો નિર્ણય લીધો હતો. કોરોના સંકટના લીધે મોદી સરકારની કમાણી નોંધપાત્ર ઘટી ગઇ હતી અને સરકારી તિજોરી પણ દબાણ વધી રહ્યુ હતુ. આ કારણસર સરકારે ડીએ અને ડીઆર રોકવાનો નિર્ણય લીધો…
નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્સ સર્વિસ કંપની પેટીએમની વિચારણા 16600 કરોડ રૂપિયાનો આઇપીઓ ઓક્ટોબર સુધી લાવવાની છે. સુત્રોએ જણાવ્યુ કે, કંપની પોતાનો આઇપીઓ જલ્દીથી જલદી લાવવા ઇચ્છે છે. કંપનીએ ભારતીય શેરબજાર નિયામક સેબીની પાસે આઇપીઓ માટે દસ્તાવેજો 15 જુલાઇ સુધી જમા કર્યા છે. કંપનીને અપેક્ષા છે કે તે અંગે નિયામક તરફથીથી પ્રતિક્રિયા સપ્ટેમ્બર સુધી પ્રાપ્ત થઇ જશે. કંપનીની યોજના ત્યારબાદ જલ્દીથી જલદી આઇપીઓ લાવવાની છે. આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, એવો અનુમાન છે કે સેબી દસ્તાવેજો અંગે બે મહિનામાં પ્રત્યુત્તર આપશે. એક વખત દસ્તાવેજ મળ્યા બાદ પેટીએમ આઇપીઓ માટે અરજી કરશે. સુત્રોએ જણાવ્યુ કે, આ પ્રક્રિયા નિયામકીય મંજૂરીઓ…
નવી દિલ્હી- ભારતીય શેરબજારમાં સોમવારે ઘણી વધ-ઘટ જોવા મળી અને સેન્સેક્સ- નિફ્ટી કામકાજના અંતે રેડ ઝોનમાં બંધ થયા હતા. રિયલ્ટી, બેન્ક અને ઓટો સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ પર દબાણ રહ્યુ. જાણો આજે મંગળવારે ક્યાં સ્ટોકમાં ખરીદ-વેચાણથી ફાયદો થવાની શક્યતા છે. અહીં રોકાણ કરવાથી મળશે ફાયદો આજે મંગળવારે યસ બેક, સેઇલ અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, એસબીઆઇ કાર્ડ્સ, મહિન્દ્રા સીઆઇઇ ઓટો, કોટક મહિન્દ્રા બેન્ક, ફોર્ટિસ હેલ્થકેર, જૈન ઇરિગેશન, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એપ્ટેક અને પર્સિસ્ટેન્ટ સિસ્ટમ્સના શેરમાં તેજીની અપક્ષા છે. મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સથી આ સંકેત મળ્યા છે. તે ઉપરાંત અજંતા ફાર્મા, બજાજ ફિનસર્વ, ઝોમેટો અને ગુજરાત ફ્લુરોકેમના શેરમાં તેજી જોવા મળી શકે…
JEE એડવાન્સ્ડ 2021 (Admission Exam for JEE Advance 2021)ની માટે તારીખ જાહેર કરવામાં આવી છે. એડમિશન માટે જેઇઇ એડવાન્સ્ડ 2021ની પરીક્ષા ત્રણ ઓક્ટોબર 2021ના રોજ યોજાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે જાહેરાત કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેદ્ર પ્રધાને આજે સોમવારે ટ્વીટ કરીને આઈઆઈટીમાં પ્રવેશ માટે JEE (Advanced) 2021ની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું JEE (Advanced) 2021ની પરીક્ષા આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાશે. પરીક્ષા તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરીને યોજાશે. તો, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મહારાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ત્રીજા તબક્કામાં સામેલ નથી થઇ શકતા તેમને પરીક્ષા આપવાની વધુ એક તક આપવામાં આવશે. કોરોના વાયરસની મહામારીને…
મુંબઇઃ હવે 1 ઓગસ્ટથી બેન્કોમાં થતી તમારી તમારી ઘણી લેવડ-દેવડ રવિવાર અને રજાઓના દિવસે પણ થઇ શકશે. રિઝર્વ બેન્કે નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ સિસ્ટમને સપ્તાહના સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે તમને બેન્કોની શનિ-રવિવારની રજાના દિવસે પણ તમારા એકાઉન્ટમાં પગાર કે પેન્શન જમા થઇ જશે. તે ઉપરાંત રજાના દિવસે તમારા એકાઉન્ટમાંથી લોનનો ઇએમઆઇ પણ કપાઇ જશે. એટલે કે 1 ઓગસ્ટથી પગાર, પેન્શન અને ઇએમઆઇ પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિંગ ડેની રાહ જોવી પડશે નહીં. શુ છે NACH? NACH વ્યાપક સ્તરે પેમેન્ટ કરનાર સિસ્ટમ છે. તેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરે છે. આ સિસ્ટમ ડિવિડન્ડ, વ્યાજ,…
મુંબઇઃ જો તમારા બેન્ક સંબંધિત કામકાજ હોય તો ચાલુ સપ્તાહે ભૂલ્યા વગર પતાવી લેજો કારણ કે આગામી ઓગસ્ટ મહિનામાં બેન્કોમાં ઢગલાંબંધ રજાઓ આવી રહી છે. વિવિધ તહેવારોના લીધે ઓગસ્ટ મહિનામાં ઘણા દિવસો બેન્કો બંધ રહેશે. આવી પરિસ્થિતિમાં તમારા બેન્કિંગ કામકાજ અટકતા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રાથમિક માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં શનિ-રવિ રજાઓ સહિત બેન્કો લગભગ 15 દિવસ સુધી બંધ રહેશે જેમાં રાજ્યો પ્રમાણ વધ-ઘટ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવાર – અને રવિવારે બેન્કોમાં રજા રહે છે. ઓગસ્ટમાં ક્યાં ક્યાં દિવસે બેન્કો રહેશે બંધ 1 ઓગસ્ટ : રવિવાર 8 ઓગસ્ટ…
નવી દિલ્હીઃ કઠોળ-દાળની કિંમતોને અંકુશમાં રાખવા માટે મોદી સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.અગાઉ સ્ટોક લિમિટ લાદયા બાદ હવે કઠોળની વધતી કિંમતો પર અંકુશ મૂકવા માટે કેન્દ્ર સરકારે સોમવારે મસૂરની આયાત જકાતને શૂન્ય કરી દીધી છે. તે ઉપરાંત કઠોળ પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેશ પર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દીધુ છે. તેનાથી કઠોળની ઘરેલુ સપ્લાય પણ વધશે. નાણાં મંત્રી નિર્મલા સિતારમને આનો પરિપત્ર સંસદના બંને સદનોમાં રજૂ કર્યો. આયાત જકાત અને સેશનના ઘટેલા દર મંગળવારથી લાગુ થશે. નાણાં મંત્રીએ કહ્યુ કે, અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાંથી આયાત થનાર મસૂર પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 10 ટકા કરાઇ છે.…
નવી દિલ્હીઃ આજે ભારતભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થઇ રહી છે. વર્ષ 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગિલ-દ્રાસ સેન્ટરમાં છુપાયેલા પાકિસ્તાની ઘુષણખોરોને તગેડી મૂક્યા હતા. આ દરમિયાન ભારતીય સેનાના સાહસી સૈનિકોએ પોતાનાથી ઘણી ઉંચાઇ પર બેઠેલા પાકિસ્તાની સૈનાને હરાવી હતી. કારગિલ યુદ્ધમાં ભારતને જો કોઇ દેશ તરફથી સૌથી વધારે મદદ મળી હોય તો તે છે ઇઝરાયલ. 22 વર્ષ બાદ ઇઝરાયલે કર્યો ખુલાસો 22 વર્ષ બાદ ઇઝરાયલે ખુલાસો કર્યો કે કારગિલ યુદ્ધમાં તેણે ભારતને કેવી રીતે મદદ કરી હતી. ભારત સ્થિત ઇઝરાયલી દુતાવાસે ટ્વીટ કરીને જણાવ્યુ કે, યુદ્ધ દરમિયાન ઇઝરાયલે ભારતને મોર્ટાર અને દારૂગોળો આપીને મદદ કરી હતકી. ઇઝરાયલે કહ્યુ કે,…