કવિ: Satya Day

નવી દિલ્હીઃ ભારતમાં બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યુ છે. ભારતમાં 18 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 38,792 નવા કેસ નોંધાયા છે.આ સાથે હવે દેશમાં કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓની કૂલ સંખ્યા 3,09,46,074 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ રવિવારે કોરોના વાયરસના સંક્રમણથી વધુ 624 દર્દીઓના મોત થયા છે. આ સાથે ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 4,11,408 પહોંચી ગયો છે. તે ઉપરાંત ગઇકાલે 41,000 દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત થયા છે.આમ અત્યાર સુધી કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની કૂલ સંખ્યા 3,01,04,720 થઇ ગઇછે. દેશમાં હાલ કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 4,29,946 છે. દેશમાં છેલ્લા 24…

Read More

મુંબઇમાં ભારે તબાહી મચાવ્યા બાદ ફરી સોમવારે વરસાદ શરૂ થઇ ગયો છે. વેસ્ટર્ન અને ઇસ્ટર્ન સબર્ન્સની સાથે સાઉથ સેન્ટ્રલ મુબઇમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાહે સોમવારની માટે રેડએલર્ટ જારી કર્યુ છે. જેમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. હવામાન વૈજ્ઞાનિકોએ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ઘણા વિસ્તારોમાં રાતભરથી ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 48/ કલાક દરમિયાન મુંબઇ, થાને, પાલઘર, રાયગઢ અને કૌંકણના લોકોને સાવધાની રહેવાની ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ચેતવણીઆપી છે. આજે સાંજે 6 વાગે 58 મિનિટે દરિયામાં 3.65 મીટર ઉંચા…

Read More

કોરોના સંકટકાળમાં વેપાર-ધંધા બંધ થતા મોટી સંખ્યામાં જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વિતેલ એક વર્ષ દરમિયાન 16 લાખથી વધારે જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યા છે. જેમાંથી 50 ટકાથી વધારે નો ફાઇલર્સ હતા. કોરોના સંકટના વેપાર- ધંધા બંધ થવાથી ઘણા વેપારીઓએ જીએસટી રિટર્ન પણફાઇલ કર્યુ નથી. આથી કેટલાંક વેપારીઓએ સામે ચાલીને તેમનું જીએસટી રજિસ્ટ્રેશન રદ કર્યુ છે. વિતેલા એક વર્ષ દરમિયાન દેશભરમાં લગભગ 16 લાખ જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાના કહેરને પરિણામે ધંધા તૂટી પડતા ગુજરાતમાં 2020-21ના નાણાંકીય વર્ષમાં 61064 અને 2021ના એપ્રિલથી 15મી જુલાઈ 2021 સુધીમાં 26671 વેપારીઓએ તેમના રજિસ્ટ્રેશન…

Read More

આજે સોમવારથી સસંદમાં ચોમાસુ સત્રની શરૂઆત થવાની છે.આ ચોમાસુ સત્ર દરમિયાન મોદી સરકારે ઘણા ખરડા-પ્રસ્તાવો સંસદમાંથી પાસ કરાવવાની યોજના ઘડી કાઢી છે.  તો વિપક્ષ પણ કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરવાની રીત,ઇંધણના સતત વધી રહેલા ભાવ, મોંઘવારી – બેરોજગારી, કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલન સહિત ઘણા મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાદે સર્વપક્ષીય બેઠકમાં કહ્યુ કે, સરકાર સંસદમાં વિવિધ મુદ્દો પર ઉપયોગી ચર્ચા કરવાના પક્ષમાં છે, ત્યારબાદ જારી સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ કે,  વડાપ્રધાન એ સદનમાં વિવિધ પક્ષોના નેતાઓને કહ્યુ કે, દેશની તંદુરસ્ત લોકતંત્રની પરંપરા, લોકો સાથે જોડાયેલા મુદ્દાઓને…

Read More

હરિદ્વારઃ ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલન સ્વરૂપે કુદરતનો કહેર ચાલુ રહ્યો છે. ઉત્તરાખંડમાં આજે મોડી રાત્રે આકાશમાંથી આફત વરસી છે. ઉત્તરકાશીના જિલ્લાના માંડો ગામમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તો 4 લોકો ગુમ થઇ ગયા છે. એચડીઆરએફની ટીમ બચાવ અભિયાનમાં લાગી ગઇ છે. SDRFના ટીમઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર જગદંબા પ્રસાદે માહિતી આપી કે આ ઘટનામાં 3 લોકોના મોત થયાની પૃષ્ટિ કરાઇ છે. જાણકારી મુજબ લાપતા થયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. માંડો ગામમાં લગભગ નવ ઘર કાટમાળની ઝપેટમાં આવ્યાછે જેમાં ઘણા લોકો અને વાહનો દબાઇ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે.…

Read More

મુંબઇઃ ચાલુ સપ્તાહે કંપનીઓના જૂન ક્વાર્ટરના પરિણામો શેરબજારની દિશા નક્કી કરશે. એનાલિસ્ટોનું માનવુ છે કે વૈશ્વિક બજારોમા ઉત્સાહના અભવા ત્યા  વધૃઘટ ચાલુ રહી શકે છે. નોંધનિયછે કે બકરી ઇદને પગલે બુધવારે શેરબજાર બંધ રહેશે. રેલિગેર બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાનું કહેવુ છે કે આ સપ્તાહ ઓ છા ટ્રેડિગ સેશનવાળુ છે. વૈશ્વિકઘટનાક્રમ તથા ક્વાર્ટરલી પરિણામો શેરબજારની દિશા નક્કી કરશે. તે ઉપરાંત કોરોના સંબંધિત ઘટનાક્રમ તથા  ચોમાસાની પ્રગતિથી પણ શેરબજારનો ટ્રેન્ડ નક્કી થશે. સપ્તાહ દરમિયાન ઘણી મોટી સંપત્તિઓના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર થશે. તેમણે કહ્યુ કે, આ સપ્તાહે રિલાયન્સ, એસીસી,એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો,એચસીએલ ટેકનોલોજી, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ…

Read More

દેશભરમાં ઇંધણની કિંમતો વધવાથી તમામ લોકો  પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ઓઇલ માર્કેંટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના આજની કિંમતો જાહેર રહી છે.આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ સતત બીજા દિવસ ઇંધણની કિંમત સ્થિર રહી છે.  દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર છે શહેરના નામ પેટ્રોલ ડીઝલ दिल्ली 101.84 89.87 मुंबई 107.83 97.45 चेन्नै 101.49 94.39 कोलकाता 102.08 93.02 भोपाल 110.20 98.67 रांची 96.68 94.84 बेंगलुरु 105.25 95.26 पटना 104.25 95.57 चंडीगढ़ 97.93 89.50 लखनऊ 98.92 90.26 મે મહિનામાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ સતત ઇંધણની કિંમતો…

Read More

દેશમાં ધીમે ધીમે લોકડાઉન ખુલી રહ્યુછે અને તેની સાથે સાથે નવા કર્મચારીઓની નિમણૂક પણ વધી રહી છે. જોબ પોર્ટલ સાઇકી માર્કેટ નેટવર્કની એક રિપોર્ટ મુજબ જૂનમાં નવા કર્મચારીઓની ભરતીની કામગીરીમાં સુધારો જોવા મળ્યો છે, જે નોન આઇટી સેક્ટરમાં સુધારાના સંકેત આપે છે.  આ આંકલન જૂનમાં નવી નોકરીઓ માટેના ભરતી પર આધારિત છે. રિપોર્ટમાં જણાવ્યુછે કે અત્યાર સુદી આઇટી સેક્ટર નોકરીઓની દ્રષ્ટિએ ઝડપથી વધી રહ્યુ હતુ પરંતુ જૂનમાં અન્ય સેક્ટરોમાં પણ નવા કર્મચારીઓની ભરતીની કામગીરી સુધરી છે. આ રિપોર્ટ સાઇકી માર્કેટ નેટવર્કના જોબ પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલી નિમણૂક સંબંધીત આંકડાઓ પરઆધારિત છે. તે ઉપરાંત ડેટાથી જાણવા મળ્યુ કે મે મહિનાની…

Read More

કોરોના મહામારીની બીજી લહેરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ રોજગારી- નોકરી ગુમાવી છે. જો કે આ વખતે મહિલાઓ કરતા પુરુષોએ મોટી સંખ્યામાં રોજગારી ગુમાવી છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએઆઇઇ)ના મતે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન શહેરી વિસ્તારમાં મહિલાઓની તુલનાએ મોટી સંખ્યામાં પુરુષોએ નોકરી ગુમાવી છે. સીએમઆઇઇના સીઇઓ અને એમડી મહેશ વ્યાસે તેમના વિશ્લેષ્ણમાં જણાવ્યુ કે, કોરોના-19ની પહેલી લહેરના કારણે નોકરીઓના મામલે સૌથી વધારે નુકસાન શહેરી વિસ્તારની મહિલાઓને થયુ હતુ. તેમણે કહ્યુ કે, શહેરી મહિલાઓ કુલ રોજગારમાં લગભગ ત્રણ હિસ્સેદાર છે, પરંતુ મહામારીની પહેલી લહેરમાં કુલ રોજગારીના 39 ટકા નુકસાન મહિલાઓને થયુ હતુ. તેમણે ઉમેર્યુ કે, 63 લાખ લોકોએ નોકરી…

Read More

મુંબબઃ હવામાન વિભાગે ચાલુ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડવાની આગાહી કરી હતી. જો કે વરસાદમાં વિલંબથી ખેડૂતોનાી ચિંતા વધી રહી છે. ગત વર્ષની તુલનાએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન કૃષિ પાકોના વાવેતરની કામગીરી અત્યંત ધીમી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ પાછલા સપ્તાહે 9 જુલાઇ સુધી ખરીફ પાકોનું વાવેતર વાર્ષિક તુલનાએ 10.45 ટકા ઓછુ હતુ, જે ચાલુ સપ્તે 16 જુલાઇ, 2021 સુધીમાં ગંભીર રીતે પ્રભાવિત થતા 11.6 ટકા ઓછું રહ્યુ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ખરીફ કૃષિ પાકો હેઠળનો વાવેતર વિસ્તાર છેલ્લા 5 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારથી નીચે આવી ગયુ છે. કેન્દ્રીય કૃષિ…

Read More