વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં નિરંતર કાર્યક્રમોમાં હાજરી આપ્યા દાંડી ખાતે મીઠા સત્યાગ્રહના સ્મારકનું લોકર્પણ કર્યું હતું. સુરતમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી હેલિપેડથી સીધા ગાંધી સ્મારક ખાતે પ્રાર્થના મંદિર પહોંચી, ત્યાં નજીકમાં આવેલા સૈફીવીલાની મુલાકાત લીધી. ત્યારબાદ પીએમ મોદીએ ‘દાંડી નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કરી અડધો કલાક સ્મારકની મુલાકાત લઈ સભાને સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી ખાતે સભા સંબોધતા કહ્યું કે, દાંડી ભારતની આઝાદીનું સાક્ષી રહ્યું છે. સત્યાગ્રહની આ ભૂમીને હું નમન કરૂ છું. ટુંક સમયમાં દાંડી દુનિયા માટે એક તીર્થધામ બની જશે, દેશ વિદેશના પર્યટકો અહીં આવી આઝાદીની લડાઈને માણી શકશે. દેશની આઝાદીમાં કરોડો લોકોએ પોતાની આહુતી…
Author: Satya Day News
કાળુપુરના વેપારીને બેંક મેનેજર તરીકેની ઓળખાણ આપી અને તેના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ની માહિતી મેળવી રૂપિયા સવા લાખનો ચૂનો લગાવી ની ઘટના બાદ સોલા વિસ્તારમાં રહેતા એક રિટાયર્ડ ડીવાયએસપી ને પણ આવા જ એક બોગસ ટેલીકોલરે બેક કર્મચારી તરીકેની ઓળખ આપી 49000 લગાડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે સોલા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે. સોલા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફરિયાદી હીરાભાઈ રામભાઈ દેસાઈ રિટાયર્ડ ડીવાયએસપી છે. જેઓ ઘાટલોડિયા વિસ્તારના સુરમ્ય એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે. સોમવારે સાંજે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામે છેડે વાત કરનાર વ્યક્તિએ પોતાને…
નારણપુરા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર બિલ્ડીંગ ના દસમા માળે થઈ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે . ઘાટલોડિયા પોલીસે આ બાબતે અકસ્માત મોત નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ નારણપુરા વિસ્તારના અમી અપાર્ટમેન્ટમાં રહેતા સુમિતાબેન દુમડિયા (ઉ.૩૮)આજે સવારે કોઈ અગમ્ય કારણોસર સરદાર આવાસ નામની બિલ્ડિંગના 10મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી તેમની માનસિક બીમારીની દવા ચાલતી હતી. જેથી ઘાટલોડિયા પોલીસે આ બાબતે અકસ્માત મોત નો કેસ અને તપાસ હાથ ધરી છે આ કેસની તપાસ પીએસઆઈ એ આર ડાંગર કરી રહ્યા છે.
PM મોદીએ સુરત એરપોર્ટ પર લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે ઉંધિયું પત્યું નહીં અને પોંક જાય નહીં. તેમણે જણાવ્યું કે પાછલા 30 વર્ષમાં કેન્દ્રમાં તડજોડની સરકારો ચાલી હતી અને દેશનો વિકાસ રૂંધાયો હતો. એક વોટથી સંપૂર્ણ બહુમતિવાળી સરકાર આવી અને દેશનો વિકાસ ઝડપથી થવા માંડ્યો છે. બહુમતિવાળી સરકાર તાત્કાલિક નિર્ણય લઈ શકે છે અને નિર્ણયોના દાખલા આપણી સમક્ષ છે. તેમણે કહ્યું કે બાપુની પૂણ્યતિથિ છે અને બાપુને નમન કરું છું. દાંડીમાં સત્યાગ્રહીઓના સ્મારકનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આગામી 10 વર્ષમાં સુરત દેશના સૌથી વિકસત શહેરોમાંનું એક હશે. એક દિવસમાં સુરતથી 1800 મુસાફરો હવાઈ યાત્રા કરી શકે તે માટે…
કોબ્રાપોસ્ટ વેબસાઇટના ઇન્વેસ્ટીગેશનમાં ગુજરાતમાં હાઉસિંગ ફાઇનાન્સના સૌથી મોટા કોંભાડનો પર્દાફાશ થયો છે. કોંબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં DHFL કોંભાંડમાં ગુજરાતના ધર્મદેવ બિલ્ડરનું નામ ખુલ્યું છે. ધર્મદેવના ઉમંગ ઠક્કર અને DHFLએ મળીને રૂ 1160 કરોડનું કૌભાંડ કર્યું છે. ધર્મદેવ બિલ્ડરે ફર્જી કંપની બનાવી DHFL પાસેથી રૂ 1160 કરોડની લોન લીધી. ધર્મદેવ બિલ્ડરે પાંચ શેલ કંપની બનાવી રૂ 1160 કરોડ ભેગા કર્યા. 1160 રૂ. કરોડમાંથી મોટાભાગના પૈસા DHFLને પાછલા બારણે ચુકવ્યા. 1160 રૂ. કરોડની લોન છતા ધર્મદવે કોંભાંડ આચરીને કંપનીને કાચી પાડી. DHFL પાસેથી કરોડોની લોન લેવા ધર્મદેવ બિલ્ડરે 5 ફર્જી કંપનીઓ ખોલી ધર્મદેવની સત્ય સંક્લપ બિલ્ડકોનને DHFLએ રૂ.680 કરોડની લોન આપી. ધર્મદેવની અંબિકા લીઝીંગને…
લોકસભા ચૂંટણી પૂર્વે ટીવી ડિબેટ અને ચૂંટણી લક્ષી રેલીઓ અને જાહેરસભાઓમાં શાબ્દીક યુદ્વ છેડાઈ ગયું છે. પરંતુ આ યુદ્વનો એક અધ્યાય સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બૂક લખનારા લેખિકા મધુ કિશ્વરએ એવું ટવિટ કરી દીધું કે જેના કારણે તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. સામજિક કાર્યકર્તા મધુ કિશ્વરે ટવિટ કરતા સોશિયલ મીડિયામાં તેઓ ટ્રોલ થઈ ગયા હતા. ટવિટમાં તેમણે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહેલા વાયદાઓ અંગે ટીપ્પણી કરી હતી. મંગળવારે ટવિટર યૂઝર્સને જવાબ આપતા મધુ કિશ્વરે લખ્યું કે તે પળનો ઈન્તેજાર કરો કે જ્યારે રાહુલ ગાંધી તમામ સગીરોને વર્ષના નિશ્ચિત મહિનામાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે સુરતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટસના લોકાર્પણ અને ભૂમિપૂજનવિધિમાંથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બાદબાકી કરી દેવામાં આવી છે. એરપોર્ટ પર લાગેલા પોસ્ટરમાં પણ નીતિન પટેલનો ફોટો ક્યાંય પણ જોવા મળી રહ્યો નથી. વડાપ્રધાન મોદી આવતા હોય અને તેવામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું સમખાવા પુરતું પણ ક્યાંય નજરે પડતું ન હોય તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. આ પહેલી વખત નથી કે નીતિન પટેલના નામની બાદબાકી કરવામાં આવી હોય. અગાઉ અનેક વખત નીતિન પટેલનું નામ કમી કરવામાં આવ્યું હતું અથવા તો ઈરાદાપૂર્વક તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યું ન હતું. સુરતના કાર્યક્રમમાં પણ નીતિન પટેલનું નામ…
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં અંકલેશ્વર શહેરના વિકાસ માટે 35 જેટલા કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વરમાં વધતી જતી અતિશય ગંદકી ને લઈ લોકોની તકલીફને વાચા આપી વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અંતર્ગત ઠેરઠેર સ્વચ્છતા માટે તેમજ જાગૃતિ ફેલાવતા પ્રચાર કરવામાં આવી રહ્યા છે એનો અંકલેશ્વર શહેરમાં અમલ ન થતો જોઈને અંકલેશ્વરમાં આજે વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાની બહાર ભેંસને લાવી તેના સમક્ષ ભાગવત ગીતા વાંચી નગરપાલિકાના સત્તાધીશોને ભાગવત ગીતા સાંભળવાથી કદાચ ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવા વિચાર સાથે…
વરાછા સુમુલ ડેરી રોડ પર આવેલા બડા ગણેશ મંદિરના પાથરણાવાળી મહિલાઓએ આજે મોરચો કાઢ્યો હતો. સેંકડો મહિલાઓ રસ્તા પર આવી ગઈ હતી અને ધંધો નહી કરવા દેનારા મહિલા કોર્પોરેટર તથા સ્થાનિક આગેવાન અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું કે પાછલા ચારથી પાંચ મહિનાથી બડા ગણેશ મંદિર ખાતે ધંધો કરવા દેવામાં આવતો નથી. અહીં 400-500 જેટલી ગરીબ અને રોજનું કમાઈને ખાનારી મહિલાઓ કટલરી અને અન્ય ચીજ વસ્તુઓ વેચવા આવે છે. નાના-નાના બાળકો સાથે ઘરનું ગુજરાન ચલાવવા ધંધો કરવા આવીએ છીએ. બડા ગણેશ મંદિર ખાતે દર મંગળવારે મેળા જેવું વાતાવરણ હોય છે. તેમણે કહ્યું કે સ્થાનિક કોર્પોરેટર અને કેટલાકા લોકો…
ગુજરાતની રૂપાણી સરકારના શિક્ષણ મંત્રી ભૂપેનદ્રસિંહ ચૂડાસમાએ બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના આશ્રમની પ્રશંસા કરતા ભારે વિવાદ સર્જાયો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આસારામના આશ્રમ યોગ વેદાંત સમિતિને પત્ર લખ્યો છે. ગઈકાલે લખેલા પત્રમાં ચૂડાસમાએ લખ્યું છે કે યોગ વેદાંત સમિતિ દ્વારા 14મી ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સમિતિ સંસ્થા દ્વારા કરાતું આ કામ સરાહનીય છે. આજના આધુનિક યુગમાં યુવક-યુવતીઓ માતા-પિતા પ્રત્યેની લાગણી સમજી અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે.સંસ્થા દ્વારા થઈ રહેલા કાર્ય અંગે ભૂપેન્દ્રસિંહે શૂભેચ્છા પણ પાઠવી છે. 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈ ડેની ઉજવણી કરવામાં આવે છે. પાકિસ્તાને આ દિવસે ફાધર અને મધર ડે ઉજવવા મહિના પહેલાં જાહેરાત કરી…