અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં અંકલેશ્વર શહેરના વિકાસ માટે 35 જેટલા કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વરમાં વધતી જતી અતિશય ગંદકી ને લઈ લોકોની તકલીફને વાચા આપી વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અંતર્ગત ઠેરઠેર સ્વચ્છતા માટે તેમજ જાગૃતિ ફેલાવતા પ્રચાર કરવામાં આવી રહ્યા છે એનો અંકલેશ્વર શહેરમાં અમલ ન થતો જોઈને અંકલેશ્વરમાં આજે વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાની બહાર ભેંસને લાવી તેના સમક્ષ ભાગવત ગીતા વાંચી નગરપાલિકાના સત્તાધીશોને ભાગવત ગીતા સાંભળવાથી કદાચ ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવા વિચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હોવાનું વિરોધ પક્ષના નેતા શરીફભાઈ કાનુગા દ્વારા જણાવવામાં આવ્યું હતું,
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેને આ અંગે મીડિયા સમક્ષ લૂલો બચાવ કરતા સમગ્ર વિરોધ દર્શનને ધાર્મિક મામલો બનાવી પોતાની અણ આવડત છુપાવવાની કોશિશ કરવામાં આવી હતી. શરીફભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં આ એક વિરોધ પ્રદર્શન છે અને તે લોકોના હિત માટે છે તેને ધાર્મિક મામલો ન બનાવવા માટે અને પોતાની અણ આવડત છુપાવવાનો પ્રયાસ હોવાનો કહ્યું હતું.
વધુમાં નગરપાલિકા પ્રમુખને ભગવદ્ ગીતાનું પઠન કોણે કર્યું હતું તે અંગેની કોઈ જાણકારી જ નથી અને ચોક્કસ કોમને નિશાન બનાવવાનું કાર્ય સાથે એક ગંદી રાજનીતિ રમી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
વિરોધ પક્ષના નેતા શરીફભાઈ કાનુગે જણાવ્યું કે એક તરફ અંકલેશ્વરમાં વારંવાર સ્વચ્છતા ને લઈને પ્રશ્ન હોય છે વારંવાર ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચર્ચામાં રહી ચૂકી છે કેટલીક સોસાયટીઓમાં અતિશય ગંદકી જોવા મળતી હોય છે અને મીડિયાના માધ્યમથી કેટલીક વાર અહેવાલો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે.
પાલિકાના સત્તાધીશો પોતાની મનમાની ચલાવતા હોય તેમ લોકોની ફરિયાદને હોવાના જ નથી આપતા ખાસ કરીને વિરોધ પક્ષના વોર્ડમાં ઓરમાયું વર્તન કરતા હોવાની પણ વારંવાર ફરિયાદ ઉઠવા પામી છે જ્યારે આજે થયેલા વિરોધમાં ફરી એકવાર પોતાની તાનાશાહી બતાવી ધાર્મિક મામલો બનાવવાની કોશિશ કરી ખરી રાજનીતિ અને તેમની હલકી વિચારધારા છતી કરી હતી.
સામાન્ય સભામાં થયેલા વિરોધ લોકોના હિતમાં કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું જ્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા ધાર્મિક બનાવી તેઓની હલકી વિચારધારા જાહેરમાં પ્રસારિત કરી તે કેટલું યોગ્ય છે તેવા પ્રશ્નો પૂછી રહ્યા છે જો આવી જ રીતે ધર્મના નામે રાજનીતિ અંકલેશ્વર નગરપાલિકા માં ચાલતી રહેશે તો કદાચ આગામી દિવસોમાં અંકલેશ્વર ના શહેરીજનો વિકાસથી વંચિત રહે તો પણ કોઈ નવાઈ નહીં અને લોકોને ધર્મના નામે ગુમરાહ કરી નગરપાલિકાના સત્તાધીશો ફક્ત અને ફક્ત પોતાની રણનીતિ અને રાજકીય રોટલો શેકી રહ્યા છે તે સ્પષ્ટ પણે લોકોને આંખે ચડી રહ્યું છે એટલું જ નહીં પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું પ્રમાણે ભ્રષ્ટાચાર થયો હોય જેને છુપાવવા અને અને લોકોને આપવા માટે કોઈ જવાબ ના હોય જેના કારણે આવા હલકા વિચારોથી મામલાને ટલ્લે ચડાવવા ની કોશિશ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
ભરૂચ જિલ્લામાં પણ અવારનવાર વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે પણ પ્રથમ વખત કોઈક વિરોધને ધાર્મિક મામલો બનાવવાની કોશિશ તો અંકલેશ્વર નગરપાલિકાના હોશિયાર અને બાહોશ સત્તાધીશો દ્વારા જ કરવામાં આવી છે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.