ભરૂચ જિલ્લામાં રેતીમાફિયાઓ બેફામ બન્યા છે અને તંત્ર દ્વારા તેઓ સામે કોઈ પગલાં નહિ ભરવામાં આવતા આવા તત્વોની હિંમત વધી ગઈ છે અને યુવાન ઉપર જીવલેણ હુમલો થતા ભારે હોબાળો મચ્યો છે ત્યારે ફરીવાર સાંસદ મનસુખ વસાવાએ આવા તત્વો ઉપર નિશાન સાધ્યું છે તેઓએ અગાઉ પણ નદીઓના અસ્તિત્વને ભારે નુકસાન થઈ રહ્યુંની વાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી આવા તત્વો સામે ગંભીર પગલાં ભરવા માગ કરી હતી પણ રેતી ચોરીનો ધંધો હજુ બંધ થયો નથી અને દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે એક યુવાનનું માથું ફાડી નાખ્યું છે.
સત્યડેની ટીમે જાતેજ હોડીમાં બેસી ચેકીંગ કરતા અહીં રેતી ચોરી કરવા માટે મોટા મોટા બાજ ઉતરી પડ્યાનું જણાયું હતું જે દરિયામાં જોવા મળતા હતા.
આ બાજ હવે ગેરકાયદે રીતે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનો પટ ખાલી કરી રહયા છે અને મનસુખ ભાઈનું નિવેદન પણ સામે આવ્યું કે આવા બાજમાં 50 ટન રેતી વહન કરવાની ક્ષમતા ધરાવે છે જે બિન્દાસ સરકારી સંપદાની ચોરી કરી રહ્યા છે અને તેઓને રોકવા વાળું અહીં કોઈ નથી.
સરકારી ખાતાઓ ને લૂણો લાગી ચુક્યો છે પરિણામે અધિકારીઓ ન પાણીયા બની ગયા હોવાની બૂમ ઉઠવા પામી છે.
લોકોમાં આક્રોશ છે કે સરકારી ખજાનાની ચોરી કરવાનો કોઈનો હક્ક નથી તે કોઈના બાપની જાગીર નથી
સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં નહિ ભરવામાં આવતા તેઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.