-બે નંબરનું સિગ્નલ એટલે દરિયામાં દુર વાવાઝોડુ સક્રિય છે ,માછીમારોએ દરિયા ખેડવો નહિ
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે પરિણામેં તમામ દરિયા કાંઠા વિસ્તાર ઉપર તંત્ર નજર રાખી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના દરિયાકાંઠે પણ 55 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી થતાં દહેજ બંદરે દરિયામાં દૂર વાવાઝોડુ સક્રિય છે તેનો સંકેત આપતું બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
સાથેજ સાવચેતી ખાતર ભરૂચના હાંસોટ, જંબુસર અને વાગરા તાલુકાના દરિયા કિનારે આવેલાં 50 થી વધુ ગામોના લોકોને સાવચેત કરાયા છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા પત્ર મળતા દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
તમામ 5 જેટી , માછીમારો અને કાંઠા વિસ્તારોના ગામોને સાબદા કરી માછીમારોને સમુદ્ર નહિ ખેડવા સૂચના આપવામાં આવી છે.
વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકામાં મીઠાનું ઉત્પાદન કરતાં 50 કરતાં વધારે અગરો આવેલાં છે. અરબી સમુદ્દમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે દરિયો તોફાની બનવાની તથા ભારે પવનો ફૂંકાવાની શકયતા હોવાથી વહીવટીતંત્રએ તમામ મીઠાના અગરિયાઓને પણ સાબદા રહેવા સુચના આપી દીધી છે.
આમ,ભરૂચમાં તંત્ર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.