રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ભરૂચ જિલ્લામાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છેડાશે.
ભરૂચ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતું હતું પણ પાછળથી કોંગ્રેસમાં અંદરો અંદર વિખવાદ વધતા ભાજપે કબ્જો જમાવ્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો ગજ વાગે તેમ નથી
તે વાત અહીંના પીઢ કોંગ્રેસના નેતાઓ જ કહી રહયા છે અને છેલ્લા દિવસોમાં જે રાજીનામાનો દૌર ચાલ્યો તે હકીકત સૌની સામે છે.
ભરૂચજિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરીમલ સિંહ રણાને રીપીટ કરવાથી જીલ્લામાં કોંગ્રેસ નામશેષ થઇ રહી છે તેવામાં પ્રદેશ અગ્રણીઓ યુનુસ પટેલ અને રાજેન્દ્રસિંહ રણા જીલ્લામાં સંપૂણ નિષ્ક્રિય થઇ જતા આ વખતની વિધાનસભા માં કોંગ્રેસ ઉમેદવારોની ડિપોજીટ ગુમાવશે તે નક્કી હોવાનું જાણકારોનું કહેવું છે.
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં જે રીતે ભંગાણ પડ્યું છે તે જોતા હવે કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે તેમ જણાતું નથી.
અહીં સુધીરસિહ અટોદરીયાનું જે રાજીનામુ પડ્યું તેમાં તેઓએ જે આરોપ મૂક્યો હતો તેમાં જણાવ્યા મુજબ બે લોકો જ જીલ્લા કોંગ્રેસ માં મનસ્વી રીતે વહીવટ કરી કોંગ્રેસ તોડી રહ્યા છે,બીજું શુકલતિર્થ જીલ્લા પંચાયત વિસ્તારમાંથી મહેશ પરમાર સહિત ૩૦૦ કાર્યકરોએ રાજીનામા આપ્યા તે પણ કોંગ્રેસના સ્થાનિક વહીવટ સામે નારાજગી બતાવે છે.
વાગરા જીલ્લા પંચાયત અને વિલાયત જીલ્લા પંચાયત મા અરગામા ગામ સહીત અન્ય ગામોના ૧૦૦ થી વધુ લોકો ના રાજીનામા આપી ચુક્યા છે.
દહેજ જીલ્લા પંચાયતમાંથી ૧૫૦ લોકો એ રાજીનામા આપ્યા છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરીમલસિંહને રીપીટ કરાતા યાકુબ ગુરજીએ રાજીનામુ આપી દીધા બાદ જીલ્લા માંથી ઈશાક રાજ, મંહમદઅલી પટેલ, મકબુલ અભલી , મહેન્દ્રસિહ રાજ, ધર્મેન્દ્ર ગઢવી જેવા જીલ્લા અને પ્રદેશ અગ્રણીઓ ના ૬૯ થી વધુના રાજીનામા જે રીતે પડ્યા તે જોતા અહીંથી ભરૂચમાં કોંગ્રેસની પડતી શરૂ થઈ ગઈ અને રાજીનામાનો દૌર શરૂ થઈ ગયો છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ ને રીપીટ કરવાથી જીલ્લામાં કોંગ્રેસ નામશેષ થઇ રહી છે અને જૂના જોગીઓ કોંગ્રેસ વિમુખ થઈ રહયા હોવાનું ચિત્ર ઉભરી રહ્યું છે.
ભરૂચ જીલ્લામાં દિવસે દિવસે કોંગ્રેસના સ્થાને હાલ આમ આદમી પાર્ટી સ્થાન લઈ રહી છે અને અહીં મુખ્ય જંગ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખથી નારાજ ઓબીસી આદીવાસી અને લઘુમતી સમાજ હવે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો હોવાની વાત વચ્ચે અહીં હવે આવનારી વિધાનસભામાં આપ અને ભાજપ સાથે સિધો મુકાબલો રહેશે તેમ રાજકીય તજજ્ઞો જણાવી રહયા છે.