ભરૂચ જિલ્લામાં રેતી માફિયાઓ દાદાગીરી ઉપર ઉતર્યા છે અને ઝનોર ગામે સરપંચના ભણીયા ઉપર જીવલેણ હુમલો થયા બાદ આ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે શુકલતીર્થ, મંગલેશ્વર અને ઓરપતા ગામના લોકોમાં પણ રેતી માફિયાઓ વિરુદ્ધ પ્રતિક્રિયા સામે આવી રહી છે અને નર્મદા નદીમાંથી ખુલ્લેઆમ રેતી ચોરી કરતા તત્વો સામે આક્રોશ જોવા મળ્યો છે.
આ રેતી માફિયાઓ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે આવા સમયે અધિકારી જાની સામે પણ જનતા સવાલો ઉઠાવી રહી છે અને “જાની અટકધારી” અધિકારી રેતી માફિયાઓને છાવરી રહ્યાની વાતો ભારે ચર્ચામાં આવી છે.
લોકોનો આક્ષેપ છે કે કલેકટર અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર રજુઆત છતાં તેઓ પગલાં ભરવામાં તદ્દન નિષ્ક્રિય રહયા છે
ઓરપતા ગામના ડે. સરપંચે જે મીડિયા સમક્ષ વાત કરી તે ચોંકાવનારી છે જો આવું જ ચાલતું રહ્યું તો સરકાર ની તિજોરીને નુકશાન કરનારા ઈસમો લૂંટ ચલાવતા જ રહેશે ત્યારે આ પ્રકરણમાં તળિયા ઝાટક તપાસ થાય તે જરૂરી બન્યું છે.