ભરૂચ પંથકમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને તંત્રના અધિકારીઓને ખિસ્સામાં લઈ ફરતા આ રેતી માફિયાઓ હવે ખુલ્લેઆમ હુમલા કરવા ઉપર ઉતરી આવ્યા છે. તંત્રની લાપરવાહીના કારણે ફાટીને ધુમાડે ગયેલા રેતી માફિયાઓ હવે કોઈને ગાંઠતા નથી.
ભરૂચના ઝનોરમાં યુવક ઉપર જીવલેણ હુમલો થયો છે જેને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં રેતી માફિયાઓ બેફામ બનતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
રેતી માફિયાઓ દ્વારા ઝનોર ,મંગલેશ્વર,ગામોમાં નર્મદા નદીમાંથી ખુલ્લેઆમ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે પણ તંત્ર તેઓ સામે પગલાં નહિ ભરતું નથી પરિણામે રેતી ચોરોની હિંમત વધી ગઈ છે.
ભરૂચ ઝનોર ગામમાં રેતી માફિયા ઓ દ્વારા સરપંચના ભાણીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રેતી ચોરી બંધ કરાવવા માટે ઝનોર ના સરપંચ દ્વારા અવાર નવાર ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં રેતી માફિયાઓ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
સરપંચ દ્વારા ભૂસ્તર વિભાગ, કલેકટર અને ભરૂચના સાંસદ ને પણ રજુઆત કરવામાં આવી છે છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અને આખરે રેતી માફિયા ઓ દ્વારા સરપંચના ભાણીયા પર જીવલેણ હુમલો થયો છે.
આ હીંચકારી ઘટના બનતા જનતામાં એવો મેસેજ ગયો છે કે માથાભારે ઈસમો વિરુદ્ધ રજુઆત કરવા જતાં આવું પરિણામ આવી શકે છે.
લોકોને આ ઘટના બાદ હવે તંત્ર ઉપર ભરોસો રહ્યો નથી કારણ કે જે કોઈ રેતી ચોર અને ભૂમાફિયા વિરુદ્ધ રજુઆત કરવા જાય તો તેઓના પરિવારને જીવનુ જોખમ આવી પડે છે.
ભરૂચ ની કાયદો વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે, તેમજ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરે છે તો બીજી તરફ ભરૂચમાં ભ્રષ્ટાચાર નો સૂર્ય જાણે મધ્યમાં તપી રહ્યો હોય તે રીતનું વાતાવરણ સર્જાયું છે જાગૃત નાગરિક અરજદારો જો સરકાર ની તિજોરીમાં લાભ કરાવવા માટે આવા માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેઓને તંત્ર સહકાર આપતું નહિ હોવાનો આ મેસેજ જતા લોકમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઝનોર,શુકલતીર્થ, મંગલેશ્વર અને ઓરપતા ગામ મા માં નર્મદા નદી માંથી રેતી ચોરી કરતી આ ગેંગ ઉપર ખનીજ ખાતાની મહેરબાની ખુલ્લી પડી રહી છે ત્યારે ઉપરી અધિકારીઓ જો માફિયાઓ વિરુદ્ધ કડક પગલાં નહિ ભરેતો જનતામાંથી તંત્રનો વિશ્વાસ ઉઠી જશે ત્યારે કડક પગલાં ભરવા માંગ ઉઠી છે.