ભરૂચ ના સિલ્વર બ્રિજ પર થી પગપાળા અંકલેશ્વર થી ભરૂચ આવતા ત્રણ શ્રમજીવીઓ પૈકી એક યુવાન ને ચક્કર આવતા પગ લપસી જતા બીજો યુવાન બચાવવા જતા બન્ને નદીમાં ખાબકતા તેમના કરુણ મોત નિપજવા ઘટનાથી ભરૂચ માં અરેરાટી વ્યાપવા પામી હતી…
પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ની અયોધ્યાનગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતા અને છુટક મજૂરીકામ કરતા રામાંગિર લક્ષમણ ચૌહાણ ઉ.૩૪ તથા મહેશ દિલીપ ભાઈ ચૌહાણ ઉ ૩૦ તથા જયરામ શભૂ ભાઈ નામ ના ઈસમો ગતરોજ અંકલેશ્વર મજૂરી અર્થે ગયા હતા …
મજૂરી કામ ન મળતા ત્રણેય શ્રમજીવીઓ પગપાળા રેલ્વે બ્રિજ પરથી ભરૂચ આવતા હતા દરમ્યાન માં રામાંગિર ચૌહાણ ને ચક્કર આવતા તેનો પગ લપસી જતા મહેશ ચૌહાણ રામાગીર ને બચાવવા જતા બન્ને જણા બ્રિજ પરથી નદી માં ખાબકી જતા બન્ને ડૂબી જતા કરુણ મોત નિપજવા પામ્યા હતા.
આ ઘટના અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી મૃતકો ના મૂતદેહ ની ફાયર ફાઇટરો ની મદદથી શોધખોળ હાથ ધરી હતી જો કે સાંજ સુધી માં માત્ર મહેશ દિલીપ ભાઈ ચૌહાણ નો જ મૂર્તદેહ શોધવા માં સફળતા મળી હતી .મૂર્તદેહ નું પી એમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરાયું હતું જયારે આ અંગે એ એસ આઈ જગદીશ વસાવા એ વધુ તપાસ હાથ ધરી હતી…..