ભરૂચ પંથકમાં રેતી અને માટી ચોરોને કોણ છાવરે છે? કોનો સપોર્ટ છે? વગરે અણિયારા સવાલો વચ્ચે વિજયભાઈ નામના ખેડુતની માટીની લૂંટ થતાં ચકચાર મચી છે.
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને માટી ખનન થઈ રહયાના સમાચાર મીડિયામાં આવ્યા હોવાછતાં રેતી માફિયાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહયા છે અને રાજ્યના મોટા નેતાઓની મિલીભગતને કારણે રાજ્યના અધિકારીઓ તેમની સામે કોઈ પગલું ભરી શકતા નહિ હોવાની ચર્ચા વહેતી થઈ છે જો આ સાચુ ન હોયતો તંત્ર કેમ પગલાં ભરતું નથી તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
લોક ચર્ચા મુજબ તંત્ર કંઈ કરે તો પણ તે માત્ર દેખાડો છે અને ગેરકાયદેસર ખનનનું કામ અવિરત ચાલતું રહ્યું હોવાની વાત દિવા જેવી સ્પષ્ટ થઈ રહી છે.
આ બધા વચ્ચે જે વાત સામે આવી છે તેમાં વિજય ભાઈ રતીલાલે મીડિયાને કહ્યું મારી જાણ બહાર મારી જમીનની માટી ખોદી ચોર લોકો બિન્દાસ લઈ ગયા છે અને આ ચોરો સામે તંત્ર પગલાં ભરવામાં નિષ્ફળ રહ્યું છે.