ભરૂચ SOGએ ભંગારીયા તત્વો સામે પગલાં ભરતા ભંગારીયા ફફડ્યા છે પણ આ ફિલ્ડના આકા ગણાતા ધમા સહિત બોસ્કી અને નારણ સામે ક્યારે તપાસ અને કાર્યવાહી થશે તે સવાલ જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભરૂચ SOG દ્વારા ભંગાયારિયાઓ વિરુદ્ધ અંકલેશ્વરમાં બે સ્થળો ઉપર કાર્યવાહી થઈ અને અકબર પઠાણ તેમજ સદામ નેકસેખાનની ધરપકડ કરી અને લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પણ ભંગારની દુનિયામાં ચર્ચિત બોસ્કી અને નારણ સહિત આ ફીલ્ડમાં આકા ગણાતો અંકલેશ્વરના ધમા સામે પણ કાર્યવાહી કરવામાં આવેતો મોટા કાંડ બહાર આવે તેમ છે.
આ ઈસમો પોલીસ પકડમાં આવશેતો મોટા રાઝ ખુલવાની શકયતા જાણકારો વ્યક્ત કરી રહયા છે.
વિગતો મુજબ ભરૂચ જિલ્લા એસઓજીએ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડેલા બે ઈસમો વિરુધ્ધ 41(1) ડી મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસઓજી પોલીસ અંકલેશ્વર શહેરમાં હનુમાન જયંતીના બંદોબસ્તમાં હાજર હતી. તે દરમ્યાન બાતમી આધારે અંસાર માર્કેટ ખાતે આવેલા એસ.કે. ટ્રેડર્સ સામે એક આઈસર ટેમ્પો નંબર GJ- 16 – AW 1796 રોકીને ચેક કરતા તેના પાછળના ભાગે ભરેલા સામાનની ઝડતી તપાસ કરતા લોખંડની પ્લેટો તથા લોખંડના સળીયાનો ભંગાર ભરેલો હતો. જે શંકાસ્પદ આઈસર ટેમ્પોમાં રહેલા ભંગારના ખરીદ બીલ કે આધાર પુરાવા તેમજ વાહનની આર.સી.બુક કે માલિકી અંગેના પુરાવા બાબતે પુછતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે તેના ચાલક નિયામત અકબરભાઈ પઠાણ ઉ.વ.45 હાલ રહે ઘટી ફળીયુ પાણીની ટાંકીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી લોખંડની પ્લેટો તેમજ લોખંડનો ભંગારનું કુલ વજન 4280 કિં.રૂ.85,600, આઈસર ટેમ્પો કિં.રૂ.10 લાખ મળી કુલ કિ.રૂ.10,85,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે અન્ય કેસમાં એસઓજી પોલીસે અંસાર માર્કેટ ખાતે આવેલા એક શંકાસ્પદ બોલેરો પીકઅપ નંબર GJ-16 A – 8544 રોકીને ચેક કરતા તેના પાછળના ભાગે ભરેલા સામાનની ઝડતી તપાસ કરતા લોખડની મોટી બે પ્લેટો તથા લોખંડના સળીયાનો ભંગાર ભરેલો મળી આવ્યો હતો. જે શંકાસ્પદ બોલેરો પીકઅપમાં રહેલા ભંગારના ખરીદ બીલ કે આધાર પુરાવા તેમજ વાહનની આર.સી.બુક કે માલિકી અંગેના પુરાવા બાબતે પુછતા સંતોષકારક જવાબ નહીં આપતા આરોપી સદ્દામ નેક્સે ખાન ઉ.વ .30 રહે ભંગારની દુકાનમા નવાગામ કારવેલ તા.અંકલેશ્વરને ઝડપી પાડીને તેની પાસેથી લોખંડનની પ્લેટો તથા સળીયાનો ભંગાર કુલ વજન 50 કિં. 3,19,000, બોલેરો પીકઅપ કિં.રૂ. 2 લાખ મળી કુલ કિં.રૂ.2,19,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સત્યડે દૈનિકે ભરૂચ જિલ્લામાં વાગરા, દહેજ,અંકલેશ્વરમાં ફુલ્યા ફાલેલા ભંગારના નેટવર્ક અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને જીઆઇડીસી તેમજ જોલવા,દહેજ,વડીયા રેલવે ફાટક વગરે જગ્યાએથી ગેરકાયદે માલ ઊંચકી સગેવગે થતો હોવાની શક્યતા તેમજ આખા નેટવર્કમાં બોસ્કી અને નારણ સહિત આ ફીલ્ડમાં આકા ગણાતા અંકલેશ્વરના ધમા સામે સંભવિત શક્યતાની તપાસ અને આ ઇસમોને છાવરી રહેલા તત્વોની તપાસ તરફ ઈશારો કર્યો હતો.
જોકે,આ નામો તરફ હજુપણ કોઈ તપાસ નહિ થતા અનેક અટકળો વહેતી થઈ છે.