સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને માર માર્યો. પોલીસે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી. ભરૂચ જિલ્લાનાં ઉટિયાદરા ગામમાં પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં 40 જેટલા લોકોનાં ટોળાએ 6 સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. આ કંપની બંધ હતી જેમાં લૂંટનાં ઇરાદે લૂંટારા પ્રવેશ્યા હતાં. 40 લોકોનાં ટોળાએ 6 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાંથી 3 નાં મોત થયા હતાં. ઘટનાની જાણ થતાં ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે કોસંબા પોલીસ પણ પહોંચી હતી.
ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પી.જી. ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ નામની બંધ પડેલી કંપનીમાં 40 જેટલા લોકો લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં 3 સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા છે. જ્યારે 3 સિક્યુરિટી ગાર્ડ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીવાયએસપી એ.એલ. ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે ઘટી હતી. 40 જેટલા લૂંટારૂઓએ 6 જેટલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને માર માર્યો હતો. જેમાં બે સિક્યુરિટી ગાર્ડના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા 4 સિક્યુરિટી ગાર્ડ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું હતું. હાલ 3 સિક્યુરિટી ગાર્ડ સારવાર હેઠળ છે, જે પૈકી 2 સિક્યુરિટી ગાર્ડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથિમક તારણ મુજબ લૂંટના ઇરાદે આ હુમલો કરાયો હોવાનું કહેવાયું છે. જોકે પોલીસે આ મામલે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે અને અને સારવાર લઇ રહેલા સિક્યુરિટી ગાર્ડના નિવેદનો પણ લેવામાં આવી રહ્યાં છે.