Bharuch: ભરૂચ શહેરના માલીવાડમાં સુજનીવાલા પરિવારના અનેક મકાનો આવેલા છે.ત્યારે આજ રોજ બપોરના ઝાકીર હુસેન સુજનીવાલા પોતાનું મકાન બંધ કરીને ધાર્મીક વિધિમાં પરિવાર સાથે ગયા હતાં. આ સમય દરમિયાન તેમના મકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં આસપાસ રહેતા પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી.
આગની જાણ થતાં જ ભરૂચ પાલિકા બે ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવી આગ અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
જોકે આગમાં મકાનનો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.મકાનમાં લાગેલી આગ ઘરમાં રહેલા સરસામાનમાં પકડી લેતા આગના કાળા ભમ્મર ધૂમડાઓ દેખાતા પરીવારજનોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરી હતી.
આગની ઘટનાની જાણ થતાં ભરૂચ પાલિકાના ફાયર અધિકારી ચિરાગ ગઢવી સહિત બે ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયા હતા.
આગ લાગેલી જગ્યા એટલી સાંકડી હતી કે,ફાયર બ્રિગેડના લાશ્કરોએ એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ આગ પર કાબુ મેળવાય તે પહેલાં મકાન માલિકને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું.જોકે આગની જાણ થતાં જ સ્થાનિક પાલિકા સભ્ય ફઇમ શેખ પણ સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.