ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદથી દહેજ જવાના માર્ગ ઉપર આમોદ અને આછોદ ગામ ની વચ્ચે પુલ આવેલો છે જે પૂલની રેલીંગ ઘણા સમયથી તુટી ગઈ છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.
પુલની રેલીંગ ની હાલત પણ ઘણી જ જર્જરિત થઈ ગઈ છે જે વૃધ્ધ માણસ જેમ કંમરેથી વાંકો વરી જાય છે તેમ પુલની રેલીંગ પણ વાંકી વરી ગઇ હોય તેમ પુલની હાલત નજરે પડે છે.
આ પુલની રેલીંગ જાણે હમણાં જ નીચે ખાડીમાં ધસી પડે તેમ લાગી રહ્યું છે. આ પુલની બંને બાજુ વળાંક આવેલા છે અને આ પુલ પરથી આશરે હરરોજ ના 5000 જેટલા વાહનો પસાર થાય છે તેમજ મજુરી કામ કરનારા અને નાના મોટા ફેરીયાઓ સાઈકલો લઈને પણ પસાર થાય છે શું આ તૂટેલી રેલીંગ ને તંત્ર ક્યારે રીપેરીંગ કરશે ??? કે પછી કોઈ જાનહાનિ નુકસાન થાય કે પછી કોઈ કાળજું કંપી જાય તેવી ઘટના બને એની તંત્ર વાત જોઈને બેઠું છે? શું ગતિશીલ અને વિકાસ ની વાત કરનારું આ તંત્ર ક્યારે આ બિસ્માર પુલની કામગીરી શરૂ કરશે જેવા અનેક સવાલો ઉભા થયા છે.