Bharuch: વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા દર વર્ષે 7 એપ્રિલ નાં રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચ – અંકલેશ્વર થી હાંસોટ સુધીની સાયક્લિંગ યાત્રા નું આયોજન કરી લોકોને સ્વાસ્થ પ્રત્યે જાગૃત કરવા યોજાયેલી
આ સાયકલ યાત્રા દરમિયાન નિલેશ ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “મારૂ સ્વાસ્થ મારો અધિકાર” ની થીમ પર વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાઈ રહેલો છે.
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અંકલેશ્વર ભરૂચ નાં સાયાકલીસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે જણાવ્યું હતું કે “મારૂ સ્વાસ્થ મારો અધિકાર” નાં બદલે “મારૂ સ્વાસ્થ મારી જવાબદારી” સૂત્ર અપનાવી દિવસ દરમિયાન કમસેકમ એક કલાક પોતાની જાત માટે ફાળવી સાયક્લિંગ, રનિંગ, વોકિંગ અથવા અન્ય કોઈ પણ પ્રકારની કસરત તથા સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. જો વ્યક્તિ સ્વસ્થ હશે તો જ સ્વસ્થ સમાજ બનશે તેથી દરેક વ્યક્તિ એ “મારૂ સ્વાસ્થ મારો અધિકાર” નાં બદલે “મારૂ સ્વાસ્થ મારી જવાબદારી“ સૂત્રને અપનાવી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વ નાં નિર્માણ કરવામાં આપણે સહભાગી બનવું જોઈએ …
ભરૂચ માં સ્વસ્થ પ્રત્યે જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણે તેમનું અસહ્ય કમર દર્દ રહેતું હતું
જે 3 વર્ષ દરમિયાન સાયક્લિંગ, રનિંગ જેવી શારીરિક કસરત દ્વારા અસહ્ય કમર દર્દ માં પણ સંપૂર્ણ સ્વસ્થતા મેળવી શકેલ છે.
તથા ભરૂચના મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસે સાયક્લિંગ તથા ફિટનેસ એકટીવિટી દ્વારા બે વર્ષ દરમિયાન તેમનું 30 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. તથા ભરૂચ જિલ્લા ની જનતાને શારિરીક કસરત દ્વારા સ્વાસ્થ જીવન અપનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે…
અઝહર પઠાન ભરૂચ