Bharuch: ઝઘડિયા સ્થિત લેનસેક્સ ઈન્ડિયા દ્વારા સી.એસ.આર ભાગરૂપે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ૫૦ સોલર લાઇટ્સનું અનુદાન આપવામાં આવ્યું સાથે સાથે અંકલેશ્વર સ્થિત બકુલ ફાર્મા દ્વારા દર્દીઓની સેવા માટે રૂપિયા ૧૧ લાખનું અનુદાન આપવામાં આવ્યું, તેમજ પાનોલી ઇન્ટરમીડિયેટ દ્વારા ૬.૫૯ લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓના મોતીયાના ઓપરેશન માટે આપવામાં આવેલ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ 1983 થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવી છે.
2022 માં જે બી મોદી કેન્સર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં ૩૦૦૦ દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં આવેલ છે.
લેનસેક્સ ઈન્ડિયા ના શ્રી ઉત્પલ કચ્છી – સાઇટ હેડ, શ્રી અતાનું દાસ – એડમીન અને સી.એસ.આર હેડ, બકુલ ફાર્મા ના યોગીન મઝમુદાર એમ.ડી., શ્રી રાજેશ શાહ – સાઇટ હેડ, અને પાનોલી ઇન્ટરમીડિયેટ ના શ્રી શિવલાલ ગોએલ – એમ. ડી. નો એ.આઈ.ડી.એસ ના જનરલ મેનેજર ડો. નીનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો