- ઉદ્યોગપતિઓની માંગણી પૂરી થઈ શકે તો પછી ખેડૂતોની માંગણી કેમ નહીં…? વારા પછી વારો તારા પછી મારો…!
- અંકલેશ્વર:-વળતર નહીં તો વોટ નહીં..!!
- સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આમ આદમી પાર્ટીમાં જોડાશું:- ખેડૂત
- બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર
Bharuch: ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે એક્સપ્રેસ હાઈવે ભાદ્દભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ વર્ષ ઉપરાંત થી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા ગયા છે લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર તાલુકામાં ફરીથી આંદોલનના મંડળ થયા છે જુનાદિવા પુનગામ સહિતના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચુકવણીના બદલે નેશનલ હાઇવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી ત્રણ વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે.
બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે ના ભરૂચ જિલ્લાના 38 ગામમાંથી અંદાજે 3500 થી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે. ઘણા પ્રયાસો રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભા ચૂંટણી ટાણેજ ખેડૂતોએ પોતાના ગામે ગામ માં બેનરો અને પોસ્ટરો લગાવી મત લેવા સુરત વલસાડ કે નવસારી જાવ અમારા ગામમાં નહીં તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.