હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાછે જેને લઇ તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે ભાજપ ચૂંટણીને લઇ એકશનમોડમાં જોવા મળી રહી છે જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નિર્ધાર 150 પ્લસ બેઠકોને સર કરવા તમામ મંત્રીઓ,નેતાઓ ,કાર્યકર્તાઓ કામે લાગી ચુક્યા છે.
હાલ સી આર પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચી પ્રચાર પ્રસારમાં જોડાઇ ચુક્યા છે તો બીજી તરફ ભાજપ સંગઠનના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ દ્ગારા શહીદોના સન્માન રૂપે બાઇક રેલી સમ્રગ રાજ્યભરમાં કરવામાં આવી રહી છે પરંતુ શહીદોના સન્માનની વાતચિતો વચ્ચે નીકળેલી રેલીમાં શહીદોના ફોટા ક્યાંય જોવા મળ્યા ન હતા અને ફક્ત મેં ફક્ત પ્રશાંત કોરાટ નું જ સન્માન કરવામાં આવી રહ્યું હતું.
શહીદોના સન્માન રૂપે રેલીના નામે ભાજપ પ્રદેશ યુવા મોર્ચના પ્રમુખ ડૉ પ્રશાંત કોરટ રાજકીય ચૂંટણી પ્રચાર રેલી કરી રહ્યા છે તેવુ લાગી રહ્યું છે જો કે ખરેખર ડૉ પ્રશાંત કોરટને જવાનોના પ્રત્યે સન્માનની ભાવના હોય તો શહીદ જવાનોને યોગ્ય વળતર આપાવે અને તેમના પરિવારની ચિંતા કરે અને જવાનોની પડતર માગણી સ્વીકારે.
પરંતુ ભાજપે શહીદ જવાનોના સન્માન નામે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં બાઇક રેલી યોજી પોતાનું અંગત સ્વાર્થ લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
ડૉ પ્રશાંત કોરટ રાજકારણમાં આ રેલી થકી પોતાનુ કદ વધારી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.અને મહત્વની વાત તો એ છે કે આ રેલીમાં ભરૂચ જિલ્લાના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ પણ હાજર હતા અને તેઓ દ્વારા પણ પ્રશાંત કોરાટ ને ટકોર કરવામાં આવી ન હતી કે શહિદ સન્માન રેલી છે તો શહીદ ના ફોટો ક્યાં છે !?
પરંતુ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પણ આ વાત ને જતી કરી રેલી માં જોડાઈ ગયા હતા અને શહીદ સન્માન રેલીને પોતાના ચૂંટણી પ્રચારની રેલી સમજી બેઠા હતા તેવું સ્થાનિક જનતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.