ભરૂચના જંબુસરમાં નવનિર્મિત એસ.ટી. ડેપોમાં તાલુકાના 84 ગામોમાંથી હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે ત્યારે નવી ઇમારતમાં સુવિધાઓ છે પરંતુ તેનો લાભ મુસાફરો ને મળતો નથી. મહિલા-પુરુષ શૌચાલય છે પણ રાત્રીના 8 વાગ્યા પછી શૌચાલયના ગેટ પર તાળા લાગી જાય છે જયારે બસ 12 વાગ્યા સુધી ચાલુ હોવાથી મુસાફરો ની અવરજવર મોડી રાત સુધી ચાલુ હોય છે જેને લઇ શૌચાલય બંધ હોવાથી દૂર દૂર થી આવતા મુસાફરોને શૌચાલય માટે બહાર જવાની ફરજ પડે છે. બીજી તરફ પીવા માટે પાણીની પરબ છે પણ નળમાં પાણી નથી આવતું ત્યારે કર્મચારીઓ પણ હાજર હોતા નથી. પૂછપરછ માટેની બારી પણ બંધ હોય છે. બસોની જાણકારી માટે મુસાફરી પાસે ફક્ત એક જ માધ્યમ એલઇડી સ્ક્રીન છે.
Tuesday, May 21