રાજ્યમાં ખુબજ ચર્ચા જગાવનાર
ડમીકાંડ કૌભાંડ મામલે હવે આમ આદમી પાર્ટી યુવરાજસિંહની વ્હારે આવી છે અને યુવરાજસિંહની ધરપકડ કર્યા બાદ એક પછી એક તેમના સગા સંબંધી સહિતને તોડકાંડમાં ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે મામલે આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા કલેકટરને રજૂઆત કરી સરકારને ડમીકાંડ દબાવી દેવાનો આક્ષેપ કરી સમગ્ર કાંડની પોલીસને બદલે નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તટસ્થ તપાસની માગણી કરાઈ આવી છે.
બીજી તરફ યુવરાજસિંહના સાળા શિવુભાને કોર્ટમાં રજુ કરાયા હતા જેના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જોકે, શિવુભાએ જણાવ્યું હતું કે, અમને આ કાંડમાં ફસાવવામાં આવ્યા છે અને અમે તેનો જવાબ કાયદાકીય રીતેજ આપીશું.