ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગતા જોત જોતામાંમાં આસપાસની દુકાનોમાં આગ પ્રસરતા આઠથી દશ દુકાનોમાં આગની ઝપેટમાં આવી જતા દુકાનોમાં રહેલો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આજરોજ વહેલી સવારે ભાવનગર શહેરના પીરછલ્લા શેરીમાં ખાતેની સંઘવી ચેમ્બરમાં આવેલી 10 દુકાનોમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી.
આ ઘટના અંગે ફાયરવિભાગ ને જાણ થતાં સ્થળ ઉપર દોડી આવેલી 4 ગાડી સાથેના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર માંડ માંડ કાબુ મેળવ્યો હતો.
જે દુકાનોમાં આગ લાગી હતી તે પૈકી ની આલ્ફા હોઝિયરી અને તમન્ના ફેશન વેર બંને દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું હતું જ્યારે વિરાજ જેવલર્સ, વેરી નાઈસ સહિતની દુકાનોમાં પણ નુકસાન થયું હતું જોકે, આગ લાગવાનું કારણ અને ચોક્કસ નુકસાનીનો આંક જાણવા મળ્યો ન હતો.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.