ભાવનગરમાં પાલિકાની ટીમ ઉપર હુમલો થતા ભારે દોડધામ મચી ગઇ હતી વિગતો મુજબ અહીંના ચિત્રા વિસ્તારમાં મનપાના દબાણ હટાવ સેલ પર રાત્રી સમયે હુમલો થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે,વિગતો મુજબ 20 થી 25 અજાણ્યા ઈસમોએ પથ્થરમારો કર્યો હતો.
અહીં આવેલી શેરે પંજાબ હોટલ નજીક ઉભેલા દબાણ વિભાગના ટ્રક જેવા વાહનો ઉપર અજાણ્યા લોકોના ટોળાઓએ હુમલો કરતા
મનપાના ઓફિસરો પોતનો જીવ બચાવવા માટે ભાગદોડ મચી હતી અને પરિસ્થિતિમાં તંગદિલી વ્યાપી જતા ભારે ભાગદોડના દ્રશ્યો જોવા મળ્યા હતા.
બોર તળાવ પોલીસને આ ઘટના અંગેની જાણ થતાં પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે ધસી જઈ કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડ્યો હતો.