ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે લીલો ઘાસચારો ભરેલી ટ્રકને અકસ્માત થતાં 6 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે.
ટ્રકમાં 12થી 14 મજૂર હોવાનું કહેવાય છે જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મેવાસા ગામ તરફથી વલભીપુર તરફ પશુઓ માટેનો લીલો ઘાસચારો ભરીને જઈ રહેલી ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક પલટી મારી જતાં સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 12થી 14 મજૂર ટ્રક નીચે આવી જતા 6 મજૂરના કરૂણ મોત થયા હતા જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે લઈ જવાયા છે આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.
Monday, April 29