રાજ્ય માં રોડ ના કામો માં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા માં પણ આવુજ કઈક જોવા મળ્યું જ્યાં રોડ કામ માં કટકી કરવામાં આવી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકામાં ખેતાટીમ્બિથી દરેડ ગામ સુધીનો રોડ બની ગયા બાદ રસ્તા ઉપર માત્ર કાંકરા જ દેખાઈ રહ્યા છે. અહીં ડામર જ ગાયબ થઈ જતા ગ્રામજનો માં અચરજ નો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેતાટીમ્બિથી દરેડ ગામ સુધીઓ જે રસ્તો છે તેમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ લાપરવાહી બહાર આવી છે. કારણ કે, રસ્તા પર ફક્ત કપચી કાંકરા જ દેખાઈ રહ્યા છે. જ્યારે ડામર નું નામો નિશાન જોવા મળતું નથી.
સામાન્ય જનતા પાસે થી ટેક્સ ઉઘરાવી સરકારી તંત્ર તરફથી બનાવવામાં આવતા ભ્રષ્ટાચારી રોડને કારણે લોકોને તકલીફો નો સામનો કરવાનો વખત આવી રહ્યો છે.
આ ડામર રોડ ઉપર ડામર જ નહીં હોવાથી આ કામ માં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાય રહ્યું છે ત્યારે આ મામલે તપાસ થાય તે જરૂરી બન્યું છે.