ભાવનગરના રાજવી દ્વારા સુ પ્રસિદ્ધ શ્રી નિષ્કલંક મહાદેવની ૧૨૬મી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. કોળિયાક સ્થિત શ્રી નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ભાવનગર રાજવી પરિવાર દ્વારા દરવર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ના કોળિયાક ગામે દરિયા કિનારે શ્રી નિષ્કલંક મહાદેવ ખાતે દરવર્ષે ભાદરવી અમાસના રોજ મેળો ભરાય છે. ભાદરવીના આ મેળામાં સેંકડો શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવતા હોય છે, આ સમયે પરંપરાગત રીતે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવના મંદિરે પ્રથમ ધજા ચડાવવામાં આવે છે, શ્રાવણ માસના અંતિમ દિવસને ભાદરવી અમાસ તરીકે ઉજવાય છે ત્યારે રાજવી પરિવારના રાજવી વિજયરાજસિંહજી દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું.
કોરોના ની વર્તમાન સ્થિતિ ને ધ્યાને લઇ મર્યાદિત સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહયા હતા.