રાજ્યમાં ડમીકાંડ કૌભાંડ બહાર લાવનાર યુવરાજસિંહની ધરપકડ અને 7 દિવસના રિમાન્ડ લેવાની ઘટના વચ્ચે ભાવનગરમાં ડમી કાંડના છ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 6 આરોપીને જેલમાં મોકલી અપાયા છે. આ આરોપીઓમાં વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયાનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડમીકાંડમાં આ સાથેજ અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ જેલ હવાલે કરાયા છે.
6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા અને રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ ડમીકાંડના વધુ બે આરોપીની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી છે. આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી યુવરાજના નજીકનો મિત્ર છે જેનો વીડિયો સામે આવ્યા હતો અને બિપિને જ યુવરાજના 55 લાખ લીધાનો દાવો કર્યો હતો.
જોકે,યુવરાજસિંહની ધરપકડ બાદ સોશ્યલ મીડિયા ઉપર યુઝર્સ યુવરાજસિંહનું સમર્થન કરી રહયા છે.