ભાવનગરના ઘોઘાના દરિયાઈ વિસ્તારમાં પિરંબિત ટાપુ પાસે વરુણ નામની ટગમાં આગ લાગતા ચાર લોકોના મોત થયી હોય એવી આશંકા છે. જીએનબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ઘટના અંગેની તપાસ હાથ ઘરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાવનગરના ઘોઘાના મધદરિયે જહાજનું ચેંકીંગ કરવા ગયેલા ટગમાં ભયંકર વિસ્ફોટ થતા 4 ક્રુ મેમ્બરોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોય એવી આશંકા છે. ટગમાં આગ લાગતા સંપુર્ણ ટગ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી.