કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજથી કચ્છમાં સ્ટેન્ડબાય જોવા મળ્યા હતા જેઓ સતત તંત્ર સાથે સંકલન કરી સંપર્કમાં રહ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ છે, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વાવાઝોડાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજથી કચ્છના ભુજમાં હાજર રહી તંત્ર સાથે સંકલનમાં રહશે.
આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે તેઓએ સમીક્ષા બેઠક કરી હતી.હાલમાં NDRF-SDRF આર્મી નેવી અને કોસગાર્ડના જવાનો પણ કચ્છ-ભુજમાં તૈનાત કરી દેવાયા છે.
કચ્છ જિલ્લામાં 4509 અગરિયા તથા 2221 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. દરિયાકાંઠાના વિસ્તારના 120 ગામના કુલ 9579 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અંદાજીત બે લાખ પશુ માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારમાં લોકો સાથે પશુઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.