ભુજ (પ્રતિનિધિ)
કચ્છ જિલ્લા ની શૈક્ષણિક સંસ્થા મુ.એજયુ.વેલ્ફર સોસાયટીના વિવાદ પ્રકરણમાં આખરે વળાંક આવ્યો છે અને આ કેસમાં હાઈકોર્ટે વફફ બોર્ડના ચુકાદાને માન્ય રાખી સંસ્થાને 2018 ની સ્થિતિમાં રાખવા આદેશ કર્યો છે. વકફ રજીસ્ટર નંબર ૫૬૪, નાં સામન્ય સોસાયટીના સભ્ય શ્રી સિરાજ વજીર અલી પીર જેમણે વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ના દિવાની દાવા ન. ૨/૨૦૨૧ દ્વારા જેતે વખત નાં ચેરમેન આ. સૈયદ અબ્દુલ રસુલશા હુસેનશા સામે દાખલ કરેલ જેના હુકમ માં સંસ્થા ચેરમેન સૈયદઅ.રસુલશા હુસેનશા વિરુદ્ધ ચૂકાદો સેટ એટ સાઈડ નો તા.૨૭/૦૭/૨૦૨૧ ના રોજ આવેલ હતો , જેમાં મુખ્યત્વે સૈયદ અબ્દુલરસુલશા ના નિમણૂંક થયાં ત્યારથી જે કાંઈ નિણર્ય લીધો કે ઠરાવો , ઉપરાંત ખૂદ સૈયદ અબ્દુલ રસુલશા ટ્રસ્ટી તથા ચેરમેન પડે થી બરખાસ્ત (સેટ એટ સાઈડ) કરવામાં આવેલા. અને આ કેસમાં પિર સિરાજ નાં તરફેણમાં હુકમ કર્યો હતો, તે કેશમાં સિરાજ પિર વતી એડવોકેટ ફીરોઝ મન્સૂરી હાજર રહ્યા હતા. જે તે વકફ ટ્રિબ્યુનલ કોર્ટ નાં હુકમ સામે નારાજ થઈ સૈયદ અબ્દુલ રસુલશા એ નામદાર ગૂજરાત હાઈકોર્ટ માં અપીલ નં.૨૮૩/૨૦૨૧ થી દાખલ કરેલી હતી, જે અપીલ નામદાર ગુજરાત હાઈકોર્ટે તા. ૧૪/૦૯/૨૦૨૨ ના રોજ સૈયદ અબ્દુલ અસુલશા હુસેનશા ની અપીલ ને ખારીજ કરી ગૂજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ કોર્ટ ના ચુકાદા ને બહાલ રાખેલ છે.
જેથી હવે સંસ્થા માં ૨૦૧૮ ની પરિસ્થિતિ એ હોદેદારો તથા ટ્રસ્ટી કે જે કો.ઓપટ સભ્ય હતા તે બરકરાર રહે છે. અને આ સૈયદ અબ્દુલ રસુલશા હુસેનશા નાં કાર્યકાળ ના તમામ નિતીવષ્યેક નિણર્ય, ઠરાવો , રોજકામ રદ (સેટ એટ સાઈડ) થયેલ છે, સૈયદ અબ્દુલ રસુલશા હુસેનશા ફક્ત સામાન્ય સભ્ય તરીકે ચાલુ રહેલ છે.
હાઈકોર્ટ માં સિરાજ પીર નાં વકીલ તરીકે એમ.ટી.એમ. હકીમ સાહેબ તથા રિઝવાન શેખ હાજર રહ્યા હતા.