કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડું ‘બિપરજોય’ ફૂંકાવાની આગાહી બાદ તંત્ર એલર્ટ છે અને લોકોને આ બે દીવસ દરમિયાન મુસાફરી ટાળવા જણાવાયુ છે,ત્યારે પશ્ચિમ રેલવેની 90 ટ્રેનોને રદ કરી દેવાઈ છે.
આવા સમયે અનેક મુસાફરો ફસાયા છે ત્યારે આવા ફસાયેલા મુસાફરો માટે હેલ્પ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે,જ્યાંથી મુસાફરોને માહિતી મળી રહેશે.
મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા 137 ટ્રેનમાંથી 90 ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં ગાંધીધામ હેલ્પ ડેસ્કના નંબર 02836-239002 અને ભુજ હેલ્પ ડેસ્કના નંબર 9724093831 જાહેર કરવામાં આવ્યા છે. મુસાફરો નંબર પર સંપર્ક કરી ટ્રેનને લગતી તમામ વિગતો વિશે જાણી શકશે.