કચ્છના દરિયા કિનારે ટકરાયેલા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક વીજપોલ પણ પડી ગયા છે. બિપોરજોયનું લેન્ડફોલ જખૌ બંદર પર થયા બાદ આજે 16મી જૂનના રોજ હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, આ વાવાઝોડું છેલ્લા છ કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે તે ઉત્તરપૂર્વ તરફ જખૌ બંદરથી 40 કિમી દૂર અને નલિયાથી 30 કિમી આગળ વધ્યુ છે.
જોકે,લેન્ડફોલ થયા બાદ વાવાઝોડાની ગતિ નબળી પડી હતી
વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત ગામોમાં 940 ગામોમાં વીજપોલ પડ્યા હોવાના અહેવાલ છે અને 22 લોકોને ઈજા પહોંચી છે.
23 પશુઓના મોત થયાનું સામે આવ્યુ છે.
વાવાઝોડા ને કારણે આઠ જિલ્લામાં 524 જેટલા ઝાડ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં વૃક્ષો તૂટી પડ્યા છે.
જોકે આ પ્રાથમિક માહિતી છે પણ આજે શુક્રવાર નારોજ સાંજે કરાનારા સર્વે બાદ જ નુકશાનની વિગતો સામે આવશે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ વિવિધ જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વક્ષો ધરશાયી થયા હતા. આ ઉપરાંત વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જેના કારણે વીજ પ્રવાહ ખારવાયો છે. વાવાઝોડાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.