New Income Tax Bill: 60 વર્ષ બાદ થઈ શકે છે મોટા ફેરફારો!
New Income Tax Bill: આવતા અઠવાડિયે સંસદમાં એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે, જે જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ્ય આવકવેરા પ્રક્રિયાને સરળ બનાવવાનો અને તેને વધુ ડિજિટલ બનાવવાનો છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે આ મોટા ફેરફારની જાહેરાત કરી હતી. આ નવા બિલમાં કયા મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે.
સંસદમાં રજૂ કરવામાં આવશે
નાણામંત્રીએ કહ્યું કે નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બિલ 63 વર્ષ જૂના આવકવેરા કાયદા 1961નું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ્ય કરદાતાઓ માટે પ્રક્રિયાને સરળ બનાવવા અને કાનૂની વિવાદો ઘટાડવાનો છે.
સરળ ભાષામાં રહેશે નવો કાયદો
નવા કાયદામાં ફેરફારો સરળ ભાષામાં રજૂ કરવામાં આવશે, જેનાથી કરદાતાઓ માટે તેને સમજવા અને તેનું પાલન કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત, આ કાયદામાં ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવામાં આવશે, જેના કારણે કર ચુકવણી સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે.
કયા બદલાવ આવી શકે છે?
- ડિડકશન્સ અને છૂટોમાં ઘટાડો: ટેક્સ સ્ટ્રક્ચરને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવા માટે ડિડકશન્સ અને છૂટોમાં ઘટાડો કરી શકાય છે.
- 15% ટેક્સ: ડિવિડેન્ડ ઈનકમ પર 15 ટકા ટેક્સ લાગુ કરી શકાય છે, જેના દ્વારા તમામ ઇનકમ ક્લાસમાં સમાનતા આવી શકે છે.
- 35% ટેક્સ: હાઈ ઇનકમ ક્લાસ માટે 35% સ્ટાન્ડર્ડ ટેક્સ લાગુ કરી શકાય છે.
- એક સરખી ટેક્સ દર: અલગ અલગ પ્રોપર્ટી પર એક સરખી ટેક્સ દર લાગુ કરી શકાય છે.
63 વર્ષ જૂના કાયદામાં પરિવર્તન
સરકારનું કહેવું છે કે આ નવો કાયદો 1961 ના જૂના એક્ટની જગ્યાએ આવશે, જે 1 એપ્રિલ 1962 થી લાગુ છે. આ નવું બિલ ટેક્સપેયર્સની પ્રતિસાદના આધારે તૈયાર કરવામાં આવશે અને ભવિષ્યમાં તેમાં વધુ સુધારા કરવામાં આવી શકે છે.