બીસીસીઆઇના ઍથિકલ ઓફિસર જસ્ટિસ ડી કે જૈને સોમવારે સચિન તેંદુલકર વિરુદ્ધના હિતોના ટકરાવના આરોપને ફગાવી દીધા હતા, કારણકે આ દિગ્ગજ ક્રિકેટર સહમતિ યોગ્ય કાર્યક્ષેત્રની શરતો ઉપલબ્ધ ન હોવાને કારણે ક્રિકેટ સલાહકાર સમિતિ (સીઍસી)નો હિસ્સો બનવાનું નકારી કાઢ્યું હતું. જૈને પોતાના બે પાનાના ચુકાદામાં આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેંદુલકરે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે તે સીઍસીના સભ્ય તરીકે કામ નહીં કરશે તે પછી આ મામલાનું નિરાકરણ લાવી દેવાયું છે.
તેમણે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ઍક વાર બીસીસીઆઇ કાર્યક્ષેત્રની શરતો તેમજ કાર્યકાળ અંગે સ્પષ્ટતા કરી દે તો સચિન ફરી તેનો હિસોસ બનવા અંગે નિર્ણય કરશે. સચિન પોતાને સીઍસીનો હિસ્સો નથી માનતો અને ઍ રૂપમાં કામ કરશે નહીં. તેથી હાલની જે ફરિયાદ છે તેનો કોઇ મતલબ રહેતો નથી. તેથી હાલની ફરિયાદને પાણાવિહોણી ગણીને કાઢી નાંખવામાં આવે છે.