અહીંના યુનિયન જીમખાના મેદાન પર રમાયેલી પ્રથમ બિન સત્તાવાર ટેસ્ટમાં ભારતીય ટીમના 622 રનના જવાબમાં શ્રીલંકાની ટીમનો પહેલો દાવ 232 રને અને બીજો દાવ 185 રનમાં સમેટાઇ જતા ભારત-ઍ ટીમે શ્રીલંકા-ઍને ઍક દાવ અને 205 રને કારમો પરાજય આપ્યો હતો.
ભારતીય ટીમે પહેલા દાવ લઇને અભિમન્યુ ઇશ્વરનની બેવડી સદી અને પ્રિયાંક પંચાલની દોઢી સદીની મદદથી 622 રન કર્યા હતા, જેની સામે શ્રીલંકાનો પહેલો દાવ 232 જ્યારે બીજો દાવ 185 રને સમેટાયો હતો. ભારતીય ટીમ વતી રાહુલ ચાહરે બંને દાવ મળીને કુલ 8 વિકેટ ઉપાડી હતી.
શ્રીલંકાઍ 83/4 પરથી આગળ રમવાનું શરૂ કર્યુ તે પછી અશાન પ્રિયંજન અને નિરોશન ડિકવેલાઍ પાંચમી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી. પ્રિયંજન 49 અને ડિકવેલા 103 રન કરીને આઉટ થયા હતા અને તે પછી તેમની ઇનિંગ લથડી પડતા તેમનો દાવ 232 રને સમેટાયો હતો. ફોલોઓન થયાં પછી માત્ર 4 રનના સ્કોર પર તેમણે 3 વિકેટ ગુમાવી હતી અને તે પછી પ્રિયંજન, સમરવિક્રમા અને ડિકવેલા સિવાય કોઇ બેટ્સમેન ટકી શક્યો નહોતો અને તેના કારણે તેમની ટીમ બીજા દાવમાં 185 રનમાં ઓલઆઉટ થઇ હતી.