મુંબઇ : ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે મુંબઇમાં
કરવામાં આવશે. ઍમઍસકે પ્રસાદની આગેવાની હેઠળ પાંચ સભ્યોની પસંદગી સમિતિ, કેપ્ટન
વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી વચ્ચે થનારી બેઠકમાં ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીઓની પસંદગી
કરવામાં આવશે. ઍવું માનવામાં આવે છે કે ગત મહિને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમેલી
ટીમમાંથી જ આ ટીમની પસંદગી થશે અને ઍ ટીમમાં કોઇ મોટા ફેરફારની સંભાવના ઓછી છે. જા
કે ટીમમાં 1 કે 2 જે બદલાવ થશે તે ચોંકાવનારા હોઇ શકે છે.
ભારતીય ટીમ માટે સૌથી મોટો અને ચર્ચાતો સવાલ ચોથા ક્રમના બેટ્સમેનનો છે. ઓપનર તરીકે
શિખર ધવન અને રોહિત શર્માના નામ ફિક્સ છે અને ત્રીજા ક્રમે વિરાટ કોહલીનું નામ છે. જ્યારે
કેઍલ રાહુલને બેક અપ ઓપનર તરીકે ટીમ સાથે લઇ જવાશે. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન
મહેન્દ્ર સિંહ ધોની અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કેદાર જાદવના નામ પણ ફિક્સ હોવાનું
કહેવાય છે. ઍશિયા કપથી ભારતીય ટીમ માટે ચોથા ક્રમે રહતા અંબાતી રાયડુઍ ઓસ્ટ્રેલિયા
સામેની સિરીઝમાં કરેલા નિરાશાજનક પ્રદર્શનને પગલે કથા બદલાઇ છે અને તેના કારણે ચોથા
ક્રમે તેની સાથે દિનેશ કાર્તિક, વિજય શંકર, શ્રેયસ ઐય્યર અને અજિંકેય રહાણેના નામ રેસમાં
આવી ગયા છે.
વિકેટકીપર ઍમ ઍસ ધોનીના બેકઅપ તરીકે ઋષભ પંતની અવગણના કરવાનું મુશ્કેલ
બીજી સૌથી મોટી ચર્ચા ઍમ ઍસ ધોનીની સાથે બીજા વિકેટકીપર માટેની છે. આ રેસમાં ઋષભ
પંત અને દિનેશ કાર્તિકના નામ છે. જો કે આક્રમક બેટિંગ કરવામાં નિષ્ણાત અને ઓસ્ટ્રેલિયાના
પ્રવાસમાં જારદાર પ્રદર્શન કરીને હવે આઇપીઍલમાં પણ સારું પ્રદર્શન કરી રહેલા પંતની
અવગણના થવી મુશ્કેલ છે. બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહ, મહંમદ શમી અને ભુવનેશ્વર
કુમારની સાથે સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલના નામ નક્કી છે. જોપસંદગીકારો
ચોથા બોલર અંગે વિચારશે તો દીપક ચાહર અને નવદીપ સૈનીને તક મળી શકે છે.