ભારતીય ટીમ ગુરૂવારે વર્લ્ડ કપમાં અહીંના ઍજબેસ્ટન મેદાન પર વેસ્ટઇન્ડિઝ સામે રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર વર્લ્ડ કપમાં છેલ્લા 23 વર્ષના ઇતિહાસને જાળવી રાખીને વિજય મેળવવા પર હશે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડિઝ સામે છેલ્લા 23વર્ષમાં ઍકપણ મેચ હારી નથી. બંને ટીમ વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ મળીને 8 મેચ રમાઇ છે, જેમાંથી 5 ભારતીય ટીમ જ્યારે 3 વેસ્ટઇન્ડિઝ જીત્યું છે.
1983માં કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે તેમની પાસેથી વિશ્વ ચેમ્પિયનનો દરજ્જા છીનવી લીધો ત્યારથી વેસ્ટઇન્ડિઝ અને ભારત વચ્ચે વર્લ્ડ કપની મેચો ઍક નવા જ સ્પર્ધાત્મક સ્તરે પહોંચી ગઇ છે, જા કે તેમાં મોટાભાગની મેચ ભારતીય ટીમ જ જીતી છે ઍ અલગ વાત છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 1996 પછી વેસ્ટઇન્ડિઝ સામે કદી હારી નથી. બંને વચ્ચે ઍ જ મેદાન પર મેચ રમાશે જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું.
આમ જોવા જઇઍ તો ભારતીય ટીમનું પલ્લુ વેસ્ટઇન્ડિઝ સામે ભારે ગણાય છે, અને ટીમ ઇન્ડિયા જે ફોર્મમાં છે તેને ધ્યાને લેતા તેમને મેચ જીતવામાં મોટી સમસ્યા નહીં નડે પણ વેસ્ટઇન્ડિઝ અપસેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ન્યુઝીલેન્ડ સામે તેઅો મેચ જીતવાની નજીક પહોંચીને મેચ હાર્યા હતા, તેને ધ્યાને લેતા ભારતીય ટીમ તેમને હળવાશમાં નહીં લે ઍ નક્કી છે. વળી ભારતીય ટીમનો ઇરાદો પોતાની તમામ મેચ જીતીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવીને સેમી ફાઇનલમાં જવાનો છે, તેથી તેઓ ઍવી કોઇ શક્યતા ઊભી નહીં થવા દે કે જેનાથી તેમના ઍ અભિયાન સામે કોઇ જાખમ ઊભું થાય.