મુંબઇ : જીતની હેટ્રિક લગાવી ચુકેલી મુંબઇની ટીમ આવતીકાલે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ સામે મેદાને પડશે ત્યારે તેની નજર સતત ચોથો વિજય મેળવવા પર હશે. આ મેચમાં બધાની નજર કિરોન પોલાર્ડ અને અલઝારી જાસેફ પર રહેવાની સંભાવના છે. ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચથી પાછો ફરશે ઍવું જાહેર થયું છે.
કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં પોલાર્ડે વિસ્ફોટક ઇનિંગ તો રમી પણ ઍ મેચમાં નોટઆઉટ 15 રન કરનારા અલઝારી જાસેફે પણ ઍટલી જ મહત્વની ભૂમિકા ભજવી હતી. જાસેફ આ આઇપીઍલની ઍક શોધ સાબિત થયો છે. પોતાની આઇપીઍલની ડેબ્યુ મેચમાં તેણે 12 રનમાં 6 વિકેટ લીધી અને તે પછી પંજાબ સામે 15 રન કરીને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ચેન્નઇ સામે 53 રનમાં 3 વિકેટ ગુમાવનારા રાજસ્થાન રોયલ્સે મુંબઇના બોલિંગ આક્રમણથી સતર્ક રહેવું પડશે. તેમની પાસે સારા બેટ્સમેનો છે પણ વિકેટ પર ટકવાની ધીરજ કોઇનામાં નથી. મુબઇ છમાંથી ચાર મેચ જીત્યું છે જ્યારે રાજસ્થાન છમાંથી ઍક મેચ જીત્યું છે.