22 ઓક્ટોબરથી ભારત સામે શરૂ થનારી ત્રણ વન-ડે મેચોની શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. પ્રેક્ટિસ મેચ દરમ્યાન ન્યુઝીલેન્ડના ટોડ એસ્ટલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ટીમમાં ઈજાગ્રસ્ત થયેલ ખેલાડી ટોડ એસ્ટલની બદલીમાં લેગ સ્પિનર ઈશ સોઢીને લેવામાં આવ્યો છે. ટોડ એસ્ટલે મંગળવારે બોર્ડની પ્રમુખ ઈલેવન સામે રમાયેલી પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે ઉપરાંત ટોડ એસ્ટલ વનડે અને ટી-20 શ્રેણીમાં પણ ભારત સામે રમી શકશે નહીં. તેને પ્રેક્ટિસ મેચમાં ફક્ત ત્રણ બોલ જ નાંખ્યા હતા.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટર બોર્ડે ગુરૂવારે કહ્યું હતું કે, “સ્ક્રેનથી પુષ્ટિ થઈ છે કે એસ્ટેલ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તે કારણે ત્રણ સપ્તાહ સુધી ક્રિકેટથી દૂર રહેશે.” અગાઉ, સોઢીની માત્ર ટી-20 ટીમમાં જ પસંદગી કરવામાં આવી હતી. પરંતુ એસ્ટલની ઈજા પછી તે ODI શ્રેણી માટે પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સીરીઝની મેચ મુંબઈ, પૂણે કાનપુરમાં ક્રમશ 22, 15 અને 29 ઓક્ટોબરે રમાશે. 3 ટી-20 મેચોની મેજબાની દિલ્હી, રાજકોટ અને તિરૂવંનતપુરમ કરશે. પહેલી ટી-20 એક નવેમ્બરે રમાશે. ચાર અને સાત નવેમ્બર વચ્ચે બીજી બે ટી-20 મેચ રમાશે.