નવી દિલ્હી : ભારતનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઈચ્છતો નથી કે, કોવિડ -19 રોગચાળા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ખર્ચે વધુ ટી 20 લીગ યોજાય. આ રોગચાળાને કારણે ઘણા દેશોમાં મુસાફરી પર પ્રતિબંધ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી માટે સ્થિતિ અનુકૂળ રહેશે નહીં.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 350 વિકેટ લેનાર બોલર અશ્વિને કહ્યું કે, જો તેનું શરીર સમર્થન આપે તો તે રમતના પરંપરાગત ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખી શકે છે. તેમણે ચાર દિવસીય ટેસ્ટના પ્રસ્તાવને પણ નકારી દીધો હતો.
અશ્વિને સંજય માંજરેકર પર ESPNcricinfo સાથેની ‘વીડિયોકાસ્ટ’માં કહ્યું હતું કે’ મોટાભાગની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ છે અને હું ખરેખર આશા રાખું છું કે, એવો ફેરફાર ન થાય જેમાં તમારી પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતા વધારે લીગ મેચ હોય.’
32 વર્ષીય અશ્વિને કહ્યું કે, તેમને નથી લાગતું કે આ રોગચાળાને કારણે ક્રિકેટ ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું, ‘ત્યાં દરેક સંભાવના છે, પરંતુ મને ખબર નથી કે નજીકના ભવિષ્યમાં શું થશે.’
અશ્વિને કહ્યું કે, તે પોતાને ટી 20 ક્રિકેટના ‘પ્રોફેશનલ’ ખેલાડી માને છે. પરંતુ તેને ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સફળતા મળી છે. તેણે કહ્યું, ‘જો મારું શરીર સમર્થન આપે તો હું ટેસ્ટ ક્રિકેટમાં બીજી સારી સીઝનની રાહ જોઉં છું. મને લાગે છે કે હું ટી 20 ક્રિકેટમાં ખૂબ જ પ્રોફેશનલ ખેલાડી છું. હું જ્યાં પણ રમું છું ત્યાં મારા અનુભવ અને જુસ્સા સાથે સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશ. ‘
તેમણે કહ્યું કે, ચાર દિવસની ટેસ્ટ ક્રિકેટ કરવાની આઇસીસીની યોજનાનું તે સમર્થન નથી કરતો. તેણે કહ્યું, ‘ચાર દિવસીય ક્રિકેટ વિશે વિચારવું મને ઉત્તેજિત કરતું નથી. હું સ્પિનર છું અને જો તમે એક દિવસનો ખેલ બહાર કાઢીએ તો મને ખબર છે કે તેની સારી અસર નહીં થાય. તમે રમતના ખૂબ આકર્ષક પાસાને દૂર કરી રહ્યા છો.